WHOની ચેતવણી બાદ સરકાર તપાસમાં લાગી
પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બિયામાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવેલ સર્દી-ખાંસી માટેના સિરપ પીવાથી 66 બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ દાવો કરવાની સાથે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આ સિરપનો ઉપયોગ ન કરવાની ચેતવણી પણ આપી છે. અહીં દિલ્હીમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
WHO એ મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં જણાવ્યું છે કે, “ભારતીય કંપની મેડેન ફાર્માસ્યુટિકલ્સના ચાર ઉત્પાદનોમાંથી દરેકના નમૂનાઓનું લેબ ટેસ્ટિંગ એ વાતની પુષ્ટિ કરે છે કે, આ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની વધુ પડતી માત્રા છે જે સ્વિકાર્ય નથી”. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓએ આજે ગામ્બિયામાં કિડનીની ગંભીર ઇજાઓ અને 66 બાળકોના મૃત્યુ સાથે સંભવિત રીતે સંકળાયેલી 4 દૂષિત દવાઓ માટે તબીબી ઉત્પાદન ચેતવણી જારી કરી છે. આ બાળકોના મૃત્યુ એ તેમના પરિવારજનો મોટો આઘાત છે. WHO એ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) ને કફ સિરપ વિશે ચેતવણી આપી છે.
સૂત્રોએ જણાવ્યું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને તરત જ આ મામલો હરિયાણા રેગ્યુલેટરી ઓથોરિટી સાથે ઉઠાવ્યો અને વિગતવાર તપાસ શરૂ કરી. સૂત્રોએ જણાવ્યું કે કફ સિરપનું ઉત્પાદન હરિયાણાના સોનીપત ખાતે મેસર્સ મેઇડન ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. હ
અહેવાલો અનુસાર, દવાની ઝેરી અસરથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા, પેશાબમાં અવરોધ, માથાનો દુખાવો, મગજની અસર અને કિડનીને નુકસાન થઈ શકે છે. WHOનું કહેવું છે કે જ્યાં સુધી સંબંધિત દેશના સત્તાધિકારી દ્વારા સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી આ દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આ અન્ય જીવલેણ રોગો તરફ દોરી શકે છે.
અન્ય દેશો માટે ચેતવણી જાહેર કરાઈ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચાર દવાઓ ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત ખાંસી અને શરદીની સિરપ છે. WHO ભારતમાં સંબંધિત કંપની અને નિયમનકારી અધિકારીઓ સાથે વધુ તપાસ કરી રહ્યું છે. દૂષિત ઉત્પાદનો અત્યાર સુધી ફક્ત ગામ્બિયામાં જ મળી આવ્યા છે. આ દવાઓનું અન્ય દેશોમાં વિતરણ થઈ શકે છે. ડબ્લ્યુએચઓ તમામ દેશોમાં દર્દીઓને વધુ નુકસાન અટકાવવા માટે આ ઉત્પાદનોને શોધવા અને તેનો ઉપયોગ ના કરવાની ભલામણ કરે છે
60 , 1