દેશની ઐતિહાસિક ફેક્ટરીને વાગશે તાળા: બ્રિટાનિયાએ કર્યો મોટો નિર્ણય, જાણો કરોડોના કારોબાર માટે મહત્વની ગણાતી ફેક્ટરીની રસપ્રદ વાતો...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan25062024_103405_Untitled-design-2-10.webp)
- 25 Jun, 2024
1892માં કોલકાતાની એક નાની દુકાનમાંથી માત્ર 295 રૂપિયાના રોકાણથી બિસ્કિટ બનાવવાની શરૂઆત કરનારા બ્રિટિશ ઉદ્યોગપતિએ બ્રિટાનિયાની સ્થપના કરી હતી. જ્યારે આજે તેનો બિઝનેસ વિશ્વના 60થી વધુ દેશોમાં ફેલાયેલો છે. અને માત્ર ભારતમાં જ તેની13 ફેક્ટરીઓ છે અને કંપનીની વાર્ષિક આવક રૂ. 900 કરોડથી વધુ છે.
"બ્રિટાનિયા" નામ માત્ર પૂરતું છે, તેને કોઈ વધુ ઓળખની હવે જરૂર રહી નથી. પરંતુ આટલા લાંબા સમયબાદ કંપની તરફથી એક જાહેરાત કરવામાં આવી રહી છે. આઝાદી પહેલાથી બિઝનેસ કરી રહેલી આ મોટી કંપની પોતાનું કોલકાતા યુનિટ બંધ કરવા જઈ રહી છે. બ્રિટાનિયા દ્વારા પણ અહીં કામ કરતા કર્મચારીઓને અગાઉથીજ નોટિસ આપીને આ જાણકારી આપવામાં આવી છે.
બીજી તરફ કંપનીના આ નિર્ણયને લઈને રાજ્યમાં રાજકીય શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું છે જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે.બ્રિટાનિયા બિસ્કીટ ફેક્ટરીનું બંધ થવાથી કોલકાતાના ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં એક યુગનો અંત થયો છે. વાસ્તવમાં, આ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઐતિહાસિક ફેક્ટરી છે જે તારાતલા સ્થિત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેનો બિઝનેસ એટલો ઝડપથી વધ્યો કે તે દરેક ઘર સુધી પહોંચી ગયો.
અગાઉના મીડિયા અહેવાલો અનુસાર, કંપનીની શરૂઆત બ્રિટિશ ઉદ્યોગપતિએ કરી હતી અને બાદમાં તેની કમાન વાડિયા પરિવારના હાથમાં આવી હતી.વાડિયા પરિવારમાં આવ્યા પછી, તેમણે બ્રિટાનિયા બિસ્કિટને આગળ લઈ જવાનું નક્કી કર્યું. કોલકાતાથી શરૂ થયેલી આ કંપનીની તરાતલામાં આવેલી ઐતિહાસિક ફેક્ટરી બંધ થવી એ શહેરના આર્થિક ઈતિહાસ માટે જ નહીં પરંતુ તેમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ મોટો ફટકો છે.
જો કે, કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનાથી આ યુનિટમાં ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે તેને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ પર કર્મચારીઓને મોટી રકમની ખાતરી પણ આપી છે.
બ્રિટાનિયાના આ યુનિટમાં 122 કાયમી કર્મચારીઓ અને 250 જેટલા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા હતા, જેઓ હવે બેરોજગાર થવા જઈ રહ્યા છે.
કંપનીના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ નિર્ણય મુંબઈ અને ચેન્નાઈમાં બ્રિટાનિયાના કારખાનાઓને બંધ કર્યા બાદ લેવામાં આવ્યો છે. કોલકાતા પોર્ટની 11 એકર જમીન પર સ્થિત તરતલા ફેક્ટરી, 2018માં 30 વર્ષ માટે તેના લીઝ કરારનું નવીકરણ કરવામાં આવ્યું હતું, જે 2048 સુધી લંબાવવામાં આવ્યું હતું. કંપનીએ 24 વર્ષ વધુ લીઝ પર રાખ્યા હોવા છતાં તારાતાલા જમીનનો ભાવિ ઉપયોગ અનિશ્ચિત છે એટલે કે ફેક્ટરીનું ઉત્પાદન હવે નફાકારક નથી.
બ્રિટાનિયા બિસ્કિટના કોલકાતા યુનિટને બંધ કરવાના કંપનીના નિર્ણયને લઈને પણ રાજકીય શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજમુદારે કહ્યું કે જે મુખ્યમંત્રી ઉદ્યોગ વિરોધી છબી ધરાવે છે તેની હાજરીમાં ઉદ્યોગ નહીં આવે. ભાજપના નેતા અમિત માલવિયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું કે આજે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી બંધ થવી એ બંગાળમાં ઉધોગોના પતનનું પ્રતીક છે. બીજી તરફ, બીજેપીના આકરા પ્રહારો પર વળતો પ્રહાર કરતા ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે સંબંધિત ઔદ્યોગિક સંગઠનના મેનેજમેન્ટના પોતાના મુદ્દા છે.