વરસાદની ઋતુમાં તંદુરસ્તી જાળવવી મુશ્કેલ ટાસ્ક :આ છોડના બે-ચાર પાંદડા રોજ ખાવો રહો સ્વસ્થ્ય અને મસ્ત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/photogallery/maanphotogallery01072024_101433_winter.webp)
- 01 Jul, 2024
તુલસીનું પુરાણોમાં અનેક ગણું મહત્વ વર્ણવ્યું છે. પુરાણોની સાથે તુલસી ભારતીય ઇતિહાસ સંસ્કૃતિમાં અનેરું અને આગવું સ્થાન પણ ધરાવે છે. તુલસીના મહત્વ અને વ્યક્તિત્વની સાથે અનેક પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે. જે આપણને બાળપણમાં દાદા-દાદી પાસેથી સાંભળવા મળી છે. અહી આપણે તુલસીના છોડની વાર્તા નહીં પણ તેના અનેક ઔષધીય ગુણોની માહિતી જાણીશું
કોરોના કાળમાં દરેકને તેનું મહત્વ સમજાઈ ગયું છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ વાવેલો જોવા મળે છે. કેટલાક ઘરોમાં આ છોડને તેના ઔષધીય ગુણોના કારણે તો કેટલાક ઘરોમાં તેના પૌરાણિક મહત્વને કારણે વાવમાં આવે છે. ભારતીય ઘરોમાં તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીમાં રહેલા તેના ઔષધીય ગુણોને કારણે તેને ખૂબ જ ફાયદાકારક ગણાવવામાં આવ્યો છે. સામાન્ય સરદી-ખાંસી માટે તુલસીના પાનને સીધા જ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય તેનો ઉકાળો બનાવીને અથવા તો ચામાં ઉમેરીને, તુલસીનો પાવડર બનાવીને તેના પાણીનું સેવન કરવાથી શકાય છે.
સમગ્ર દેશમાં હાલ ચોમાસું બરાબર જામ્યુ છે. એવામાં ઘેર-ઘેર સિઝનની શરૂઆત થવાના કારણે સરદી-ખાંસી જેવી સામાન્ય બીમારી થેયેલી જોવા મળે છે. એવામાં તુલસી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શેકે છે. સામાન્ય સરદી-ખાંસી માટે ડોકટરની દવા લેવા કરતાં ઘરે જ ઈલાજ કરવામાં આવે તો તે ચોક્કસ મટી શેકે છે. તુલસી વાત, કફ અને પિત્તને ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. આમ ત્રિદોષમાં ઉપયોગી તુલસીનું સેવન ખાસ ચોમાસા દરમિયાન જો કરવામાં આવે તો મોસમ બદલવાની સાથે સર્જાતી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. તે માટે તમે રોજ સવારે નરણા કોઠે બે-ચાર પાંદડા તુલસીના ચાવીને ખાવાથી શારીરિક સ્વાસ્થ્યલાભ અવશ્ય થાય છે.
તુલસીના પાન રોજ ચાવવાથી બદલાતા હવામાનમાં વાયરલ ઈન્ફેક્શનથી સુરક્ષિત રહેવા માટે તમારી ઈમ્યુનિટી પણ વધે છે. દરરોજ સવારે ત્રણથી ચાર જ તુલસીના પાન નવશેકા પાણી સાથે ગળવા જોઈએ. આ વાતનું પણ ધ્યાન રાખો કે તુલસીના પાન સતત 40 દિવસથી વધુ ન ખાવા જોઈએ.તુલસી ચોમાસામાં ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીના કારણે તાપમાનમાં વધઘટ થતો રહે છે અને તેના કારણે ગળામાં ખરાશ, ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે. રાહત માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી આરામ મળે છે અથવા તુલસીના પાનને ચામાં ઉમેરીને પી શકાય છે.
ચોમાસામાં થતી પેટ સંબંધિત સમસ્યાઓથી પણ રાહત થાય છે. ચોમાસામાં વરસાદના પાણીમાં બેક્ટેરિયાના વિકાસને કારણે અથવા ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તુલસીના 8 થી 10 પાન લઈને તેને થોડાં જીરું સાથે પીસીને મધ સાથે થોડું-થોડું ખાવાથી ઘણી રાહત મળે છે.
આ સિવાય તુલસી ઘામાં ચેપ અટકાવે છે , એટલે વરસાદની મોસમમાં ઘણી વખત ત્વચા પર ફોલ્લીઓ અથવા પડવાને કારણે કોઈ ઘા થાય છે જેનો ચેપ લાગવાનો ભય રહે છે. ચેપથી બચવા માટે ચોમાસામાં ખાસ તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઘામાં થતો ચેપથી રક્ષણ આપે છે.