મુંબઈ-નાગપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રોંગ સાઈડે આવતી કારે ટક્કર મારતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત, કારમાં પેટ્રોલ પુરાવવા અપનાવ્યો હતો શોર્ટકટ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29062024_060508_Gujaratvandan-mumbainagpurexpressway accident.webp)
- 29 Jun, 2024
મુંબઈ-નાગપુર હાઈવે પર મહારાષ્ટ્રના જલના ખાતે બે કાર અથડાતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે બંને બંને કારમાં બેઠેલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. શુક્રવારે મોડીરાતે જલનાના કડવાનચી ગામ ખાતે આ દુર્ઘટના બંની હતી. પ્રાપ્ત માહિતી મુજબ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો મુંબઈના મલાડ(ઈસ્ટ) અને બુલધાના જિલ્લાના રહેવાસી છે.
સ્થાનિક લોકોએ ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે એક કાર હાઈવે પર યોગ્ય દિશામાં જઈ રહી હતી. પરંતુ બીજા કારે રોંગ સાઈડથી આવીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એમ કહેવાઈ રહ્યું છે કે રોંગ સાઈડથી આવતી કારના ડ્રાઈવરે પેટ્રોલ પંપના અંતરને ધ્યાનમાં લઈને કારને રોંગ સાઈડમાં ચલાવવાનો નિર્ણય કર્યો હતો.
ઘટના પછી ગામના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. બાદમાં ઘટનાની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા પછી પંચનામું કરવા સહિત મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
ઘટનાના પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સમુદ્ધિ હાઈવે 701 કિલોમીટરનો સિક્સ-લેન એક્સપ્રેસ વે છે. જે મુંબઈ અને નાગપુરને જોડે છે. નોંધનીય છે કે હાઈવેનો પ્રથમ તબક્કો જે નાગપુરથી શેરડીને જોડે છે, તેનું ઉદ્ધાટન ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું.