18મી લોકસભાનું પ્રથમ સત્ર: રાહુલના વર્તનને ટાંકીને PM મોદીએ NDAનાં સાંસદોને ટકોર કરી, કહ્યું- સંસદમાં રાહુલ જેવો વર્તાવ અયોગ્ય...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02072024_054905_Pm modi (1).webp)
- 02 Jul, 2024
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર સાંસદના બંને ગૃહોમાં આજે ચર્ચા થશે. ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં જવાબ આપશે. પીએમ મોદી રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો કાલે જવાબ આપી શકે છે. 18મી લોકસભાનું આ પ્રથમ સત્ર છે. સપા પ્રમુખ અને લોકસભામાં પાર્ટીના ફ્લોર લીડર અખિલેશ યાદવ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થશે. લોકસભામાં અખિલેશ યાદવનું સંબોધન આજે 11 વાગ્યે થશે.
એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સંબોધ્યા હતા. સંસદ સભ્ય કિરેન રિજિજૂએ જણાવ્યું કે પીએમ મોદીએ એનડીએ સાંસદોની બેઠકમાં કહ્યું કે રાહુલ ગાંધીની ભાષા યોગ્ય નહોતી. આપણે સંસદમાં આ પ્રકારનું વર્તન કરવાનું નથી. કિરેન રિજિજૂએ પીએમ મોદીના લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાની પણ માહિતી આપ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. પીએમ મોદી સાંજે 4 વાગ્યે લોકસભામાં અને કાલે એટલે કે 3 જૂને રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. આ માહિતી સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ આપી છે. કિરેન રિજિજૂએ એ વાત પણ કહી કે એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોના આચરણને લઈને પણ શીખામણના શબ્દો કહ્યાં છે.
લોકસભામાં સોમવારે રાષ્ટ્રપતિ અભિભાષણ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચા શરૂ કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઈને કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું કે જેનાથી હોબાળો થયો હતો. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉભા થઈને વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો તે ગંભીર બાબત છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિન્દુસ્તાને ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી. તેનું કારણ છે કે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે, તે ડરતો નથી. આપણા મહાપુરુષોએ એ સંદેશો આપ્યો છે કે ડરો મત, ડરાઓ મત. શિવજી કહે છે કે- ડરો મત, ડરાઓ મત અને ત્રિશૂલ રાખે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે બીજી તરફ જે લોકો તમને હિન્દુ કહે છે, તે 24 કલાક હિંસા-હિંસા-હિસા. નફરત-નફરત-નફરત કહે છે. તમે હિન્દુ છો જ નહીં. હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સત્યનો સાથ આપવો જોઈએ.
રાહુલ ગાંધીના નિવેદન પર સત્તા પક્ષના સભ્યોએ હોબાળો કર્યો હતો. પીએમ મોદીએ પોતાની ખુરશી પરથી ઉભા થઈને, આ વાત ગંભીર હોવાની વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે હિન્દુ સમાજને હિંસક કહેવો ગંભીર વાત છે. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી અને બીજેપી, આખો હિન્દુ સમાજ નહીં.