માંડ માંડ સ્કૂલે જતા થયા અને એમાં પડી હડતાળ : શિક્ષણને અસર ન થાય તે ઉદેશ્યથી સંચાલકોમાં હડતાળ મુદ્દે વિરોધાભાસ દેખાયો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02072024_064813_intelli-classroom-with-a-teacher-teaching.webp)
- 02 Jul, 2024
ગત મે માસ માં થયેલા રાજકોટ અગ્નિકાંડને પગલે તંત્ર સાવધાન બનતા દરેક સ્થળે ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધર્યું છે , તે અંતર્ગત શહેરના અનેક ગેમઝોન, જાહેરસ્થળો, થિયેટર, શાળા ,ટ્યુશન ક્લાસીસનું ચેકિંગ હાથ ધરાયું અને ફાયર સેફટીના પૂરતા સાધનોનો અભાવ ધરાવતા એકમોને સીલ કરી દેવામાં આવ્યા. જેની હજી કાર્યવાહી ચાલુ છે.
સીલ લાગેલા કેટલાક એકમોએ ફાયર સેફટીની પૂરતીને લગતી બધીજ પ્રકિયા સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ તેમના સીલ ખોલી દેવામાં આવ્યા હતા. એવામાં હવે અમદાવાદમાં આવેલી 300 પ્રિ-સ્કૂલોને બીયુ પરમિશન સહિતના મુદ્દે સીલ મારવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મારવામાં આવેલ સીલની શાળા સંચાલકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. અને પ્રિ-સ્કૂલો સંચાલક એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. જેની અસર નાના ભૂલકાંઓના શિક્ષણ પર પણ પડેલી દેખાઈ હતી.
રાજ્યમાં ગરમીના પ્રકોપને પગલે આ વર્ષે શાળા મોડી શરૂ થઇ છે , અને એવામાં આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે . એ કેટલી હદે યોગ્ય છે ? ભૂલકાંઓના શિક્ષણ પર અસર ન થાય એવા ઉદેશ્યથી અમદાવાદ પ્રિ-સ્કૂલો સંચાલક એસોસિયેશન દ્વારા આ બંધનો વિરોધ કરવામાં આવ્યો અને એમણે સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ બંધને સમર્થન આપનારી કેટલીક પ્રિ સ્કૂલ સંચાલકોએ સ્કૂલ બંધ કરી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મૌન ધરણાના કાર્યક્રમનું આયોજન કર્યું છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અમદાવાદની 300 કરતા વધુ પ્રિ-સ્કૂલોને સીલ મારી દેવામાં આવતા પ્રિ-સ્કૂલ સંચાલકો બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી હોવાનું જણાવી ફાયર સેફ્ટીની ચકાસણી કરી પ્રિ-સ્કૂલોના સીલ ખોલવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. વિરોધનો ઉદ્દેશ્ય આગ સલામતીનાં પગલાં અને ચાલુ BU પેપરવર્કનું પાલન કરવા છતાં, અચાનક સીલ કરવાના આદેશોને કારણે પૂર્વ-શાળાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રકાશિત કરવાનો છે
મ્યુનિ. દ્વારા પ્રિ-સ્કૂલોને સીલ મારવામાં આવે છે તેને લઈને મંગળવારના રોજ પ્રિ-સ્કૂલ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઉપરાંત મૌન વિરોધનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિરોધનો ઉદ્દેશ્ય આગ સલામતીનાં પગલાં અને ચાલુ BU પેપરવર્કનું પાલન કરવા છતાં, અચાનક સીલ કરવાના આદેશોને કારણે પૂર્વ-શાળાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રકાશિત કરવાનો છે.તેમનો ઉદેશ્ય શિક્ષણને અસર ન થાય તે રીતે પ્રશ્નનું નિરાકરણ કરવાનો છે.