:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ટીમ ઈન્ડીયા માટે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના : જય શાહ : ટેસ્ટ ક્રિકેટ ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પૈસા મળશે

top-news
  • 09 Mar, 2024

ટેસ્ટ ક્રિકેટને દેશમાં પ્રોત્સાહન આપવા તેમજ ખેલાડીઓનો ટેસ્ટ મેચ રમવા માટેનો જુસ્સો વધારવા માટે બીસીસીઆઈ દ્વારા મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4-1થી પરાજય આપતા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ભારતની ટેસ્ટ ટીમ માટે મોટી જાહેરાત કરી હતી.

જય શાહે કહ્યું કે હવે ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પૈસા પણ મળશે. જય શાહ દ્વારા એક પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેને ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના નામ આપવામાં આવ્યું છે.શાહે કહ્યું કે મને ભારતની પુરુષ ટેસ્ટ ટીમના ખેલાડીઓ માટે 'ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના' શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે, જેનો ઉદ્દેશ આપણા ખેલાડીઓને વધારે પૈસા આપવાનો છે.

2022-23ની સિઝનથી શરૂ કરીને 'ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ' ટેસ્ટ મેચ માટે હાલની રૂ.15 લાખની મેચ ફી ઉપરાંત વધારાના આર્થિક લાભો પણ મળશે. ટેસ્ટ મેચ માટેની ફી 15 લાખ રૂપિયા છે, પરંતુ જે ખેલાડી એક સિઝનમાં 75 ટકાથી વધુ મેચ રમનારને મેચ દીઠ 45 લાખ રુપિયા મળશે જ્યારે ટીમમાં સામેલ સભ્યને મેચ દીઠ 22.5 લાખ રૂપિયા મળશે.

જે ખેલાડી 50 ટકા એટલે કે સિઝનમાં લગભગ 5 અથવા 6 મેચ રમે છે, તેને મેચ દીઠ 30 લાખ રૂપિયા મળશે. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થનાર ખેલાડીને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળશે. સાથે જ જો કોઈ ખેલાડી સિઝનમાં 9 ટેસ્ટ અને 4 કે તેથી ઓછી મેચ રમે છે તો તેને કોઈ પ્રોત્સાહન નહીં મળે. માત્ર મેચ ફી પ્રતિ મેચ 15 લાખ રૂપિયા રહેશે.

ટેસ્ટ ક્રિકેટરો માટે આ સારા સમાચાર એવે સમયે આવ્યાં છે કે જ્યારે ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી છે. આ જીત બાદ તરત તેમને મોટો લાભ મળ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎