:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત અપાશે બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થીઓમાં અભ્યાસનો તણાવ ઓછો કરવાનો ઉદ્દેશ્ય

top-news
  • 20 Feb, 2024

કેન્દ્ર સરકારે બાળકોનો અભ્યાસનો તણાવ ઓછો કરવા હેતુ થી નવી યોજના અમલમાં મુકાવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને 10 માં તેમજ 12 ધોરણ માં ભણતા બળકો અંને તેમના વાલીઓ પણ પોતાના બાળકની  બોર્ડની પરીક્ષાને લઈને ચિંતિત હોય છે. પરંતુ હવે આ તણાવ ઓછો થવા જઈ રહ્યો છે. કારણ કે હવે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે મોટી જાહેરાત કરી છે. 

શૈક્ષણિક સત્ર 2025-26 થી, વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અભ્યાસનો તણાવ ઓછો કરવાનો છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો હેતુ વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઘટાડવાનો છે. શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે તેમણે કલા, સંસ્કૃતિ અને રમતગમતમાં પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી. આ માટે વિદ્યાર્થીઓ દર વર્ષે લગભગ 10 દિવસ સુધી બેગ વગર શાળાએ જઈ શકશે. 

આ સાથે જ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને સારો દેખાવ કરવાની વધુ તક આપવાનો છે. બંને પરીક્ષાઓ પછી, અંતિમ માર્કશીટ તૈયાર કરવામાં આવશે, જેમાં બંનેના સ્કોર્સ જોવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ NEPના ઉદ્દેશ્ય વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે NEP લાવવાનો ઉદ્દેશ્ય તણાવમુક્ત, સાંસ્કૃતિક રીતે જોડાયેલ અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ વિદ્યાર્થી બનાવવાનો છે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો ઉદ્દેશ્ય પણ નક્કી કરવામાં આવ્યો છે અને આ માટે વિદ્યાર્થીઓ અને તેમનું શિક્ષણ વિશેષ ભૂમિકા ભજવશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎