:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સુપ્રીમ કોર્ટ: AAP ઉમેદવાર કુલદીપ કુમાર ચંદીગઢના મેયર ચંદીગઢ ચૂંટણીમાં 'ખેલા' કરનાર ભાજપને મોટી લપડાક

top-news
  • 20 Feb, 2024

ચંદીગઢ ચૂંટણીમાં 'ખેલા' કરનાર ભાજપને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને ચંદીગઢના મેયર જાહેર કરીને મહિના અગાઉનું રિઝલ્ટ રદબાતલ કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગત મહિને થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ કરીને તેને સુપ્રીમમાં પડકાર્યો હતો જેની પર આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી કરીને ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ દ્વારા રદબાતલ ઠેરવાયેલા 8 મતોને માન્ય ગણતાં કુલદીપ કુમાર મેયર પદે ચૂંટાઈ આવ્યાં હતા. 

30 જાન્યુઆરી 2024ના રોજ થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે 8 વોટ રદબાતલ કરી દેતાં ફક્ત 16 મતો વાળા ભાજપના મનોજ સોનકર મેયર પદે ચૂંટાઈ આવ્યાં હતા જ્યારે 20 વોટ હોવા છતાં પણ આપ-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારનો પરાજય થયો હતો. 

ચંદીગઢ મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ-આપ ગઠબંધનને કુલ 20 વોટ અને ભાજપને 16 વોટ હતા. જો સંખ્યાત્મક તાકાત પર નજર કરીએ તો તે AAP અને કોંગ્રેસની તરફેણમાં હતી પરંતુ ભાજપે ચૂંટણી જીતી હતી. હકીકતમાં, રિટર્નિંગ ઓફિસરે કોંગ્રેસ-આપ ગઠબંધનના 8 મતો અમાન્ય જાહેર કર્યા હતા અને ભાજપના મનોજ સોનકરને વિજેતા જાહેર કર્યા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો અને તેના આધારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ઓફિસર અનિલ મસીહે બેલેટ પેપર સાથે ચેડા કર્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎