મ. પના ડિંડોરી માં ભીષણ અકસ્માત: 14ના મોત, 21 ઘાયલ ....
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29022024_042952_1681833-untitled.webp)
- 29 Feb, 2024
દેશમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ધટના મધ્યપ્રદેશમાં બની છે જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પીકઅપ વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જે બાદ વાહન કાબુ બહાર થઈ જતાં પલટી મારી ગયું હતું. આ ઘટનામાં 9 પુરુષો અને પાંચ મહિલાઓ સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં કેટલાકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જબલપુર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો સીમંત વિધિ માં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ ભયાનક અકસ્માતની ઘટના પર મુખ્યમંત્રી મોહનલાલ યાદવે મૃતકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં 4-4 લાખના વળતરની જાહેરાત કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ