:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ઈન્ટેલ ઈન્ડિયાના પૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીને અકસ્માત : સાયકલિંગ કરતાં પામ રોડ પર કેબ દ્વારા ટક્કર વાગતા મૃત્યુ ...

top-news
  • 29 Feb, 2024

દેશમાં રોજ માર્ગ અકસ્માત  વણથંભી વણઝારની જેમ વધતાં જ  જઈ રહયા છે. એવામાં નવી મુંબઈથી આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા જેમાં સાયકલિંગ કરતી વેળાએ ઈન્ટેલ ઈન્ડિયાના પૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીને તેજ રફ્તાર કેબે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત બાદ સૈનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા છે.

તેઓ બુધવારે સવારે લગભગ 5:50 વાગ્યે પેતાના મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. તેઓ ઘણી વખત પોતાના મિત્રો સાથે શોખ માટે સાયકલિંગ કરવા માટે નીકળતા હતા. આ દરમિયાન નેરુલમાં પામ બીચ રોડ પર એક કેબ દ્વારા તેમને ટક્કર મારી દેવામાં આવી હતી જેના કારણે તેમનું મોત થઈ ગયુ છે. તેઓ ચેમ્બૂરના રહેવાસી હતા.

આ અકસ્માત અંગે એક અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત બુધવારે સવારે લગભગ 5:50 વાગ્યે સર્જાયો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સૈની નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, તેજ રફ્તાર કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી દીધી હતી.

ટક્કર માર્યા બાદ કેબ ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં સૈની ઘાયલ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

સૈની 'ઈન્ટેલ 386' અને '486 માઈક્રોસોફટની કાર્યપ્રણાલી પર કામ કરવા માટે જાણીતા છે. તેમણે કંપનીના 'પેન્ટિયમ પ્રોસેસર'ની ડિઝાઈન તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎