:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈન્ટેલ ઈન્ડિયાના પૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીને અકસ્માત : સાયકલિંગ કરતાં પામ રોડ પર કેબ દ્વારા ટક્કર વાગતા મૃત્યુ ...

top-news
  • 29 Feb, 2024

દેશમાં રોજ માર્ગ અકસ્માત  વણથંભી વણઝારની જેમ વધતાં જ  જઈ રહયા છે. એવામાં નવી મુંબઈથી આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા જેમાં સાયકલિંગ કરતી વેળાએ ઈન્ટેલ ઈન્ડિયાના પૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીને તેજ રફ્તાર કેબે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત બાદ સૈનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા છે.

તેઓ બુધવારે સવારે લગભગ 5:50 વાગ્યે પેતાના મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. તેઓ ઘણી વખત પોતાના મિત્રો સાથે શોખ માટે સાયકલિંગ કરવા માટે નીકળતા હતા. આ દરમિયાન નેરુલમાં પામ બીચ રોડ પર એક કેબ દ્વારા તેમને ટક્કર મારી દેવામાં આવી હતી જેના કારણે તેમનું મોત થઈ ગયુ છે. તેઓ ચેમ્બૂરના રહેવાસી હતા.

આ અકસ્માત અંગે એક અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત બુધવારે સવારે લગભગ 5:50 વાગ્યે સર્જાયો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સૈની નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, તેજ રફ્તાર કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી દીધી હતી.

ટક્કર માર્યા બાદ કેબ ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં સૈની ઘાયલ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

સૈની 'ઈન્ટેલ 386' અને '486 માઈક્રોસોફટની કાર્યપ્રણાલી પર કામ કરવા માટે જાણીતા છે. તેમણે કંપનીના 'પેન્ટિયમ પ્રોસેસર'ની ડિઝાઈન તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎