:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો વીડિયો સામે આવ્યો

top-news
  • 09 Mar, 2024

ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી.લગભગ એક વર્ષના સમય ગાળા બાદ હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો નિજ્જરને ગોળી મારીને ભાગતા જોવા મળી રહ્યા છે. નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.

18 જૂન, 2023ની સાંજે, હરદીપ સિંહ નિજ્જરને બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી .ગુરુદ્વારામાંથી તેઓ જ્યારે બહાર નીકળતા હતા ત્યારે તેમની કારની નજીક અચાનક એક સફેદ કાર ઉભી રહે છે, જેમાંથી બે હુમલાખોરો દ્વારા હરદીપ સિંહ નિજ્જર પર ફાયરિંગ કરવામાં આવે છે. નિજ્જર પર ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા. ગોળીનો અવાજ સાંભળતા જ બંને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ વીડિયો કેનેડાના એક મીડિયા હાઉસે જાહેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં 2023ની જૂનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક સમાચાર અનુસાર, 2020માં ભારતમાં નિયુક્ત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. આ હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના રાષ્ટ્રપતિ ટ્રુડોએ કેનેડામાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભારતે આ આરોપોને ‘વાહિયાત’ ગણાવીને ફગાવી દીધા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎