ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો વીડિયો સામે આવ્યો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09032024_122917_05-7.jpg)
- 09 Mar, 2024
ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી.લગભગ એક વર્ષના સમય ગાળા બાદ હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો નિજ્જરને ગોળી મારીને ભાગતા જોવા મળી રહ્યા છે. નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.
18 જૂન, 2023ની સાંજે, હરદીપ સિંહ નિજ્જરને બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી .ગુરુદ્વારામાંથી તેઓ જ્યારે બહાર નીકળતા હતા ત્યારે તેમની કારની નજીક અચાનક એક સફેદ કાર ઉભી રહે છે, જેમાંથી બે હુમલાખોરો દ્વારા હરદીપ સિંહ નિજ્જર પર ફાયરિંગ કરવામાં આવે છે. નિજ્જર પર ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા. ગોળીનો અવાજ સાંભળતા જ બંને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ વીડિયો કેનેડાના એક મીડિયા હાઉસે જાહેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં 2023ની જૂનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક સમાચાર અનુસાર, 2020માં ભારતમાં નિયુક્ત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. આ હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના રાષ્ટ્રપતિ ટ્રુડોએ કેનેડામાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભારતે આ આરોપોને ‘વાહિયાત’ ગણાવીને ફગાવી દીધા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ