:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો: કુંનાર હેમબ્રમે લીધો રાજકારણમાંથી સન્યાસ

top-news
  • 09 Mar, 2024

એક તરફ ભાજપમાં અન્ય પક્ષોના નેતાઓના જોડાવાની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો લાગ્યો છે. આગામી લોકસભા ચૂંટણી વચ્ચે પાર્ટીના સાંસદ કુંનાર હેમબ્રમે શનિવારે લોકસભા સભ્યપદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કુનાર હેમબ્રમ પશ્ચિમ બંગાળના ઝારગ્રામથી ભાજપના સાંસદ હતા. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કુંનાર હેમબ્રમે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેમણે અંગત કારણોસર પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. હેમબ્રમે કહ્યું કે પાર્ટી છોડવાનો આ યોગ્ય સમય છે કારણ કે લોકસભા ચૂંટણીમાં બીજા કોઈને તક મળશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે રાજીનામું સ્વીકારવામાં આવ્યું કે નહીં તે અંગે તેઓ જાણતા નથી પરંતુ તેમણે રાજીનામું આપ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે. તેના જવાબમાં હેમબ્રમે કહ્યું કે તે હવે રાજકારણમાં રહેવા માંગતા નથી. ન તો તે અન્ય કોઈ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અને ન તો કોઈ પાર્ટીના સંપર્કમાં છે. ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે હેમબ્રમ થોડા દિવસો પહેલા જ પાર્ટી છોડવાના નિર્ણયની જાણકારી આપી હતી. કુનાર હેમબ્રમે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ્યની મમતા સરકારે તેમના પર નિશાન સાધ્યું છે. ટીએમસી સાંસદ શાંતનુ સેને કહ્યું કે હારનો અહેસાસ થતાં  હેમબ્રમે  રાજીનામું આપી દીધું છે. સાંસદે કહ્યું કે  હેમબ્રમે જાણે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ આ સીટ ગુમાવશે. આ જ કારણ છે કે તેમણે ચૂંટણી પહેલા જ પદ અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.

 આ પહેલા ટીએમસીના દિગ્ગજ નેતા તાપસ રોયે ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. સેનની વિદાયને મમતા સરકાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હવે બીજેપી સાંસદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળ પર ઘણું ફોકસ કરી રહ્યું છે. ભાજપ સંદેશખાલીના મુદ્દે રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહી છે અને આ મુદ્દાને ઉઠાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. ભાજપ કોઈપણ રીતે રાજ્યમાં 2019 કરતા વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે. 2019માં ભાજપે લોકસભાની 42માંથી 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં પાર્ટી આ વખતે પોતાની સીટો વધારવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎