પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં ;10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દાંડીકુચના દિવસે ગાંધીઆશ્રમ રિ -ડેવપલમેન્ટનું ખાતમુહૂર્ત
- 12 Mar, 2024
દાંડી કૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ આગમન થયુ છે. પીએમ નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતની સાથે રાજસ્થાનની મુલાકાત પણ લેશે. અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે પહોંચીને તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા ત્યારબાદ તેમણે સાબરમતી ડી કેબીન ખાતે વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરીને નિરીક્ષણ કર્યુ છે.
અને ત્યાંથી જ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેની સાથે 50 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે.આજે પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને નરેન્દ્ર મોદી આશ્રમ ભુમી વંદના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી. દેશને સંબોધન પણ કર્યું , આ સાથે સાબરમતી આશ્રમના રિ ડેવપલ પ્લાન નિહાળશે.
પીએમ મોદી મહાત્મા ગાંધીની પ્રતિમા પર સુતર આંટી ચઢાવી નમન કરશે.અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ' નો પ્રારંભ કરાવશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે.
17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો. પીએમ મોદી ગાંધી આશ્રમ પીપળાને રોપશે. ત્યારબાદ પ્રધાનમંત્રી બપોરે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ’નાં સાક્ષી બનશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ