:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બ્રાઝિલમાં બંદૂકની અણીએ બસ હાઈજેક: બસ માં સવાર હતા 18 મુસાફરો, અફરા-તફરીમાં બે મુસાફરો ઘાયલ...

top-news
  • 13 Mar, 2024

દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં અચાનક એક બંદૂકધારીએ બસ હાઈજેક કરી લીધી , એ દરમ્યાન બસમાં ૧૮ મુસાફરો સવાર હતા. આ ઘટનાથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ શહેરના મુખ્ય એસટી બસ ડેપો પર એક બંદૂકધારી વ્યક્તિ બંદૂક સાથે બસમાં ઘૂસી ગયો હતો.ત્યારબાદ તેણે બસમાં સવાર 18 લોકોને બંદૂકની અણીએ બંધક બનાવી લીધા હતા.

પરંતુ આ અફરાતફરીમાં બસમાં બેઠેલા બે મુસાફરો ફાયરિંગમાં ઘાયલ પણ થયા હતા. આ ઘટનાની જાણ થતા જ શહેરમાં હડકંપ મચી ગયો હતો.ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી.કલાકોની મથામણ અને વાટાઘાટો બાદ હુમલાખોરે સામે આવીને આત્મસમર્પણ કરી દીધુ હતુ.પોલીસે તેની ધરપકડ કરી અને તમામ બંધકોને છોડાવી લીધા હતા.

પોલીસનુ કહેવુ છે કે, સરેન્ડર કરતા પહેલા આ વ્યક્તિએ બે વ્યક્તિઓને ગોળી મારીને ઘાયલ પણ કર્યા હતા.બસમાં વૃધ્ધો અને બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા.તમામને સહીસલામત છોડાવી લેવાયા છે. પોલીસે હાઈજેક કરનાર વ્યક્તિની ઓળખ જાહેર નથી કરી અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.આ વ્યક્તિએ બસ હાઈજેક કરવાનો પ્રયત્ન કેમ કર્યો તેની તપાસ પણ ચાલી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎