ગઢચિરોલીમાં 4 માઓવાદીઓ માર્યા ગયા નક્સલવાદીઓના માથા પર 36 લાખનું સામૂહિક રોકડ ઈનામ ...
- 19 Mar, 2024
લોકસભાની ચુંટણીઓમાં અરાજકતા ફેલાવવાના ઉદેશ્યથી દેશમાં કેટલાય આતંકવાદી જૂથો હવે વધુ સક્રિય થઈ ગયા છે, એવામાં મહારાષ્ટ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મંગળવારે પોલીસ સાથેની અથડામણમાં ₹ 36 લાખની સામૂહિક ઇનામ ધરાવતા ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા.
પોલીસને સોમવારે બપોરે માહિતી મળી હતી કે કેટલાક નક્સલવાદીઓ પડોશી તેલંગાણામાંથી ગઢચિરોલીમાં પ્રણહિતા નદી પાર કરીને પ્રવેશ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણી માટે અમલી આચારસંહિતા વચ્ચે વિધ્વંસક પ્રવૃતિઓ હાથ ધરવાના હેતુથી, પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું.C-60 યુનિટની એક વિશિષ્ટ લડાયક એકમ, અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ક્વિક એક્શન ટીમને મંગળવારે સવારે રેપનપલ્લી નજીકના કોલામર્કા પર્વતોમાં શોધખોળ કરી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેનો સુરક્ષા કર્મચારીઓએ જવાબ આપતા ફાયરિંગ કર્યું હતું , એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગોળીબાર બંધ થયા પછી, વિસ્તારની શોધ કરવામાં આવી હતી અને ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે તેઓના માથા પર ₹ 36 લાખનું સામૂહિક રોકડ ઈનામ હતું.અધિકારીએ જણાવ્યું કે, તમની પાસેથી શોધખોળ કરતાં એક AK-47 બંદૂક, એક કાર્બાઇન, બે દેશી બનાવટની પિસ્તોલ, નક્સલ સાહિત્ય અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.મૃતક નક્સલવાદીઓની ઓળખ વર્ગેશ, મગતુ, અલગ-અલગ નક્સલ સમિતિઓના બંને સચિવ અને પ્લાટૂન સભ્યો કુરસંગ રાજુ અને કુદિમેટ્ટા વેંકટેશ તરીકે કરવામાં આવી છે, એમ પોલીસેઉમેર્યું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ