:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગઢચિરોલીમાં 4 માઓવાદીઓ માર્યા ગયા નક્સલવાદીઓના માથા પર 36 લાખનું સામૂહિક રોકડ ઈનામ ...

top-news
  • 19 Mar, 2024

લોકસભાની ચુંટણીઓમાં અરાજકતા ફેલાવવાના ઉદેશ્યથી દેશમાં કેટલાય આતંકવાદી જૂથો હવે વધુ સક્રિય થઈ ગયા છે, એવામાં મહારાષ્ટ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મંગળવારે પોલીસ સાથેની અથડામણમાં ₹ 36 લાખની સામૂહિક ઇનામ ધરાવતા ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

પોલીસને સોમવારે બપોરે માહિતી મળી હતી કે કેટલાક નક્સલવાદીઓ પડોશી તેલંગાણામાંથી ગઢચિરોલીમાં પ્રણહિતા નદી પાર કરીને પ્રવેશ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણી માટે અમલી આચારસંહિતા વચ્ચે વિધ્વંસક પ્રવૃતિઓ હાથ ધરવાના હેતુથી, પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું.C-60 યુનિટની એક વિશિષ્ટ લડાયક એકમ, અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ક્વિક એક્શન ટીમને મંગળવારે સવારે રેપનપલ્લી નજીકના કોલામર્કા પર્વતોમાં શોધખોળ કરી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેનો સુરક્ષા કર્મચારીઓએ જવાબ આપતા ફાયરિંગ કર્યું  હતું , એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગોળીબાર બંધ થયા પછી, વિસ્તારની શોધ કરવામાં આવી હતી અને ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે તેઓના માથા પર ₹ 36 લાખનું સામૂહિક રોકડ ઈનામ હતું.અધિકારીએ જણાવ્યું કે, તમની પાસેથી શોધખોળ કરતાં એક AK-47 બંદૂક, એક કાર્બાઇન, બે દેશી બનાવટની પિસ્તોલ, નક્સલ સાહિત્ય અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.મૃતક નક્સલવાદીઓની ઓળખ વર્ગેશ, મગતુ, અલગ-અલગ નક્સલ સમિતિઓના બંને સચિવ અને પ્લાટૂન સભ્યો કુરસંગ રાજુ અને કુદિમેટ્ટા વેંકટેશ તરીકે કરવામાં આવી છે, એમ પોલીસેઉમેર્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎