:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દિલ્હીમાં બે માળનું ઘર ધરાશાયી, 2નાં મોત: મોડી રાતની ઘટના ,મકાન માલિક ફરાર ..

top-news
  • 21 Mar, 2024

પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં એક જૂની ઇમારત ધરાશાયી થઈ જતાં આ દુર્ઘટનામાં બે લોકો કાટમાળ નીચે દટાઈ જતાં મૃત્યુ પામ્યા. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. પોલીસને રાતે 2.16 કલાકે ઘટનાની માહિતી મળી હતી.

વિસ્તારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જોય તિર્કીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બે શ્રમિકો અરશદ (30) અને તૌહીદ (20) મૃત્યુ પામ્યા જ્યારે અન્ય એક કામદાર રેહાન (22)ની હાલત ગંભીર છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મોડી રાતે 2.16 કલાકે મળી હતી. ઈમારતનોનો પહેલો માળ ખાલી હતો જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ જીન્સ કટિંગ કારખાના માટે કરવામાં આવી રહ્યો હતો. બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. ત્રણેયને ગંભીર હાલતમાં જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે કામદારોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે મકાન માલિક ફરાર થઇ ગયો છે. તેને શોધવામાં આવી રહ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎