:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

દિલ્હીમાં બે માળનું ઘર ધરાશાયી, 2નાં મોત: મોડી રાતની ઘટના ,મકાન માલિક ફરાર ..

top-news
  • 21 Mar, 2024

પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં એક જૂની ઇમારત ધરાશાયી થઈ જતાં આ દુર્ઘટનામાં બે લોકો કાટમાળ નીચે દટાઈ જતાં મૃત્યુ પામ્યા. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. પોલીસને રાતે 2.16 કલાકે ઘટનાની માહિતી મળી હતી.

વિસ્તારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જોય તિર્કીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બે શ્રમિકો અરશદ (30) અને તૌહીદ (20) મૃત્યુ પામ્યા જ્યારે અન્ય એક કામદાર રેહાન (22)ની હાલત ગંભીર છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મોડી રાતે 2.16 કલાકે મળી હતી. ઈમારતનોનો પહેલો માળ ખાલી હતો જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ જીન્સ કટિંગ કારખાના માટે કરવામાં આવી રહ્યો હતો. બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. ત્રણેયને ગંભીર હાલતમાં જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે કામદારોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે મકાન માલિક ફરાર થઇ ગયો છે. તેને શોધવામાં આવી રહ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎