:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અરબી સમુદ્રમાં હલચલ: વેરાવળથી 998 કી.મી.ના અંતરે લો-પ્રેસર: તેજ વાવાઝોડાનો ખતરો

top-news
  • 19 Oct, 2023

માતાજીની આરાધનાનાં પર્વ નવરાત્રીમાં કોઈ વરસાદી વિક્ષેપ ન સર્જાતા રાહત છે પરંતુ હવે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સીસ્ટમ આકાર લઈ રહી છે જોકે, ગુજરાતને અસર થવાની શકયતા ન હોવાનું પ્રાથમીક રીતે માલુમ પડી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં વેરાવળથી 998 કી.મી. દુર અરબી સમુદ્રમાં લો-પ્રેસર સક્રિય થઈ છે જે વધુ મજબુત થઈને ડીપ ડીપ્રેશનમાં ફેરવાવા સાથે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે. વાવાઝોડુ આકાર પામે તો તેને તેજ નામ અપાશે.

હવામાન નિષ્ણાંતોએ કહ્યું કે 21 મીએ સીસ્ટમ મજબુત થયા બાદ તેની દશા અને દિશાનો ચોકકસ અંદાજ આવી શકશે અત્યારે વાવાઝોડાથી ગુજરાતને અસર થવાની શકયતા જણાતી નથી.

અરબી સમુદ્રમાં અત્યાર સુધી જે રીતે સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે તે સોમાલીયા, એડનની ખાડી, યમન તથા ઓમાન તરફ જ ફંટાયુ છે જોકે કયારેક દિશા બદલાઈ છે ભારત-પાકિસ્તાનના કાંઠા તરફ પણ ફંટાયા છે. અત્યારે પ્રાથમીક તબકકે ગુજરાતને અસર કરશે કે કેમ તે સ્પષ્ટ નથી.

ગુજરાત હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ કહ્યું કે અરબી સમુદ્રમાં હાલ લો-પ્રેસર સક્રિય છે. 21 મી આસપાસ ડીપ્રેશન બનશે.માછીમારોને અરબી સમુદ્રમાં જ જવાની સુચના આપવામાં આવી છે.