:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અરબી સમુદ્રમાં હલચલ: વેરાવળથી 998 કી.મી.ના અંતરે લો-પ્રેસર: તેજ વાવાઝોડાનો ખતરો

top-news
  • 19 Oct, 2023

માતાજીની આરાધનાનાં પર્વ નવરાત્રીમાં કોઈ વરસાદી વિક્ષેપ ન સર્જાતા રાહત છે પરંતુ હવે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સીસ્ટમ આકાર લઈ રહી છે જોકે, ગુજરાતને અસર થવાની શકયતા ન હોવાનું પ્રાથમીક રીતે માલુમ પડી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં વેરાવળથી 998 કી.મી. દુર અરબી સમુદ્રમાં લો-પ્રેસર સક્રિય થઈ છે જે વધુ મજબુત થઈને ડીપ ડીપ્રેશનમાં ફેરવાવા સાથે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે. વાવાઝોડુ આકાર પામે તો તેને તેજ નામ અપાશે.

હવામાન નિષ્ણાંતોએ કહ્યું કે 21 મીએ સીસ્ટમ મજબુત થયા બાદ તેની દશા અને દિશાનો ચોકકસ અંદાજ આવી શકશે અત્યારે વાવાઝોડાથી ગુજરાતને અસર થવાની શકયતા જણાતી નથી.

અરબી સમુદ્રમાં અત્યાર સુધી જે રીતે સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે તે સોમાલીયા, એડનની ખાડી, યમન તથા ઓમાન તરફ જ ફંટાયુ છે જોકે કયારેક દિશા બદલાઈ છે ભારત-પાકિસ્તાનના કાંઠા તરફ પણ ફંટાયા છે. અત્યારે પ્રાથમીક તબકકે ગુજરાતને અસર કરશે કે કેમ તે સ્પષ્ટ નથી.

ગુજરાત હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ કહ્યું કે અરબી સમુદ્રમાં હાલ લો-પ્રેસર સક્રિય છે. 21 મી આસપાસ ડીપ્રેશન બનશે.માછીમારોને અરબી સમુદ્રમાં જ જવાની સુચના આપવામાં આવી છે.