:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ધરપકડના વિરોધમાં આજે દેખાવો : "આપ" ના કાર્યકરો ભાજપ કાર્યાલયોનો ઘેરાવ કરશે...

top-news
  • 22 Mar, 2024

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકર્તાઓ આજે દિલ્હી સહિત દેશભરમાં ભાજપના કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

સીએમની ધરપકડ પર આક્રોશ વ્યક્ત કરતા AAPના દિલ્હી કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. તે કોઈપણ કિંમતે કેજરીવાલનો અવાજ દબાવવા માંગે છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની હારથી એટલી ડરી ગઈ છે કે તે કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવા માંગતી હતી. ભાજપના આ ઈરાદાને પૂર્ણ કરવા માટે EDએ ગુરુવારે કેજરીવાલની ધરપકડ કરી છે.

મોડી રાત્રે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ રાયે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું અને કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના વાહનો, બસ, ઓટો, મેટ્રો અથવા કોઈપણ માધ્યમથી રાઉઝ એવન્યુમાં AAP હેડક્વાર્ટર પહોંચે. જે બાદ અમે ભાજપના હેડક્વાર્ટરનો ઘેરાવ કરીશું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎