ધરપકડના વિરોધમાં આજે દેખાવો : "આપ" ના કાર્યકરો ભાજપ કાર્યાલયોનો ઘેરાવ કરશે...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan22032024_045414_g18l9dns_arvind-kejriwal_625x300_22_March_24.webp)
- 22 Mar, 2024
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકર્તાઓ આજે દિલ્હી સહિત દેશભરમાં ભાજપના કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે.
સીએમની ધરપકડ પર આક્રોશ વ્યક્ત કરતા AAPના દિલ્હી કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. તે કોઈપણ કિંમતે કેજરીવાલનો અવાજ દબાવવા માંગે છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની હારથી એટલી ડરી ગઈ છે કે તે કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવા માંગતી હતી. ભાજપના આ ઈરાદાને પૂર્ણ કરવા માટે EDએ ગુરુવારે કેજરીવાલની ધરપકડ કરી છે.
મોડી રાત્રે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ રાયે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું અને કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના વાહનો, બસ, ઓટો, મેટ્રો અથવા કોઈપણ માધ્યમથી રાઉઝ એવન્યુમાં AAP હેડક્વાર્ટર પહોંચે. જે બાદ અમે ભાજપના હેડક્વાર્ટરનો ઘેરાવ કરીશું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ