:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કેજરીવાલની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ મોટી વિડબંના:અન્ના હજારે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો છે...

top-news
  • 23 Mar, 2024

દેશમાં ચુંટણીનો માહોલ જામ્યો છે, તેની સાથે જાંચ એજન્સીઓ પણ કાળું નાણું , ભ્રષ્ટાચાર ,ગેરકાયદેસરની પ્રવૃતિઓ અંગે સજાગ બની એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજકીય પાર્ટીઓના નેતાઓની તપાસ ચલાવી રહી છે. એવામાં દિલ્હીના મુખ્ય મંત્રીની હાલમાં જ ભ્રષ્ટાચાર મામલે ધરપકડ થઈ છે, આ પ્રસંગે તેમના એક વખતના ગુરુ અન્ના હજારે દ્વારા એક પત્ર લખવામાં આવ્યો , આ પત્રમાં તેમણે કહ્યું કે, દિલ્હી સરકારની લિકર પોલિસી અને તેના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારમાં અરવિંદ કેજરીવાલની ધરપકડથી મને ખૂબ દુ:ખ થયું. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવામાં આવેલા આ દેશના સૌથી મોટા જન લોકપાલ આંદોલનમાં મારા સાથી રહેલા અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ થવી એ સૌથી મોટી વિડબંના છે. 

અન્ના હજારેએ પત્રમાં આગળ લખ્યું કે, જે તમામ બાબતો વિરુદ્ધ લડવામાં મેં મારું આખું જીવન વિતાવી દીધુ તેના વિરુદ્ધ જઈને કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો છે. આ પ્રકારના વ્યવહારથી સામાજિક આંદોલનમાં કામ કરનારા કાર્યકર્તાઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે, એક પવિત્ર આંદોલનનો એક રાજનીતિક ફાયદા માટે ઉપયોગ કરવામાં  આવ્યો.

અન્ના હજારેએ પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે, દિલ્હી સરકારની લિકર પોલિસી દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ મેં ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 30 ઓગષ્ટ 2022ના રોજ એક પત્ર લખ્યો હતો. તેમાં મેં તેમને કહ્યું હતું કે આ સમગ્ર મામલાની જાણ થયા બાદ હું હેરાન અને હતાશ છું. આ સમગ્ર મામલાના અંત સુધી જઈને તપાસ થવી જોઈએ અને મને આશા છે કે સંપૂર્ણ તપાસ બાદ સત્ય જનતા સામે આવશે અને ગુનેગારોને સજા થશે. તેમણે આગળ લખ્યું કે, એક આંદોલન રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે તબાહ કરી દેવામાં આવ્યું. આ બાબતનું ખૂબ જ દુઃખ થયુ છે. આજે આ આંદોલનનો રાજકીય વિકલ્પ પણ નિષ્ફળ ગયો છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે.

શુક્રવારે મીડિયા સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું હતું કે જ્યારે આંદોલન સમયે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા અમારી સાથે આવ્યા હતા ત્યારે મેં બંનેને દેશના કલ્યાણ માટે કામ કરવાનું કહ્યું હતું. પરંતુ બંનેએ મારી વાત પર ધ્યાન ન આપ્યું. કેજરીવાલે પણ મારી વાત ન માની. આવી સ્થિતિમાં હું તેમને કોઈ સલાહ નહીં આપીશ અને સાથે જ મને કેજરીવાલની સ્થિતિ પર કોઈ દુ:ખ નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎