:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

1 મિલિયન ડોલરનું કાર્ગો હાઈજેક : નેવીનું બચાવ અભિયાન 35 લુંટારૂઓની ધરપકડ કરી મુંબઈ લવાયું

top-news
  • 23 Mar, 2024

એમવી રુએન કાર્ગો જહાજને 14 ડિસેમ્બર 2023એ સોમાલિયાઈ દરિયાઈ લુંટારાઓ દ્વારા હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. જહાજને જ્યારે હાઈજેક કરી લેવામાં આવ્યો તો તે ભારતીય કિનારાથી લગભગ 2600 કિલોમીટર દુર હતું, જહાજ બુલ્ગારિયા, મંગોલિયા અને મ્યાનમારના 17 વ્યક્તિઓનું ક્રૂની સાથે 37,800 ટન કાર્ગોની સાથે મુસાફરી પર હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્ગોની કિંમત લગભગ 1 મિલિયન ડોલર છે.

ત્યારે કાર્ગો હાઈજેક થવાની જાણકારી જેવી જ ભારતીય નૌકાદળને મળી તો તે એક્ટિવ થઈ ગઈ. નૌકાદળે ઝડપથી બચાવ અભિયાન શરૂ કરી દીધુ, જેમાં કોલકત્તા શ્રેણીના સ્ટીલ્થ ગાઈડેડ- મિસાઈલ ડિસ્ટ્રોયરના લીડ જહાજ આઈએનએસ કોલકાતાને સામેલ કરવામાં આવ્યું. લગભગ 40 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ દરિયાઈ લુંટેરાઓને પકડવામાં આવ્યા અને તેમને મુંબઈ લઈ આવવામાં આવ્યા.

નૌકાદળે બચાવ અભિયાન માટે INS સુભદ્રા, હાઈ અલ્ટીટ્યૂડ લોન્ગ એન્ડ્યોરેન્સ આરપીએ, P8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને MARCOS-સ્ટ્રાઈક કમાન્ડો સહિતની વિવિધ સંપત્તિઓ તૈનાત કરવામાં આવી હતી. ઓપરેશન 15 માર્ચે શરૂ થયુ હતું. નૌકાદળે પહેલા હાઈજેક થયેલા જહાજને શોધ્યુ અને ડ્રોનની મદદથી સતત તેની પર નજર રાખી. જ્યારે દરિયાઈ લુંટારૂઓએ ડ્રોન પર ગોળીઓ ચલાવી તો નૌકાદળે સી-17 વિમાનથી જહાજ પર માર્કોસ કમાન્ડોને પેરાડ્રોપ કરીને જવાબ આપ્યો. ત્યારબાદ તમામ 35 દરિયાઈ લુંટારૂઓએ આત્મસમર્પણ કરી દીધુ, જેનાથી નૌકાદળને એમવી રુએનના 17 ક્રૂને સફળતાપૂર્વક બચાવવામાં મદદ મળી.

તમામ 35 લુંટારૂઓની ધરપકડ કર્યા બાદ નૌકાદળે શિપ પર સર્ચ ઓપરેશન ચલાવ્યું, તપાસમાં જહાજ પર હથિયારો, નશીલી દવાઓ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો ભંડાર મળ્યો. એન્ટી-પાઈરેસી એક્ટ 2022 હેઠળ પકડાયેલા દરિયાઈ લુંટારૂઓ સામે આગળની કાયદાકીય કાર્યવાહી માટે મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

ભારતીય નૌકાદળે વર્ષ 2008માં શરૂ થયેલા ‘ઓપરેશન સંકલ્પ’ હેઠળ પોતાના જહાજોને અરબ સાગર અને એડનના અખાતમાં તૈનાત કર્યા છે. નૌકાદળના આ ઓપરેશન હેઠળ આ વિસ્તારમાંથી પસાર થતાં જહાજો અને કાર્ગોને સુરક્ષા પૂરી પાડે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎