:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ખેડાના ગોમતી તળાવની દુર્ઘટના : ધૂળેટીની ઉજવણી માં ત્રણ વિદ્યાર્થી ડૂબતાં મોત,

top-news
  • 26 Mar, 2024

દરવર્ષે ની જેમ આ વર્ષે પણ હોળી - ધૂળેટીનું પર્વ ધુમધામથી ઉજવવામાં આવ્યું હતું .   આ વર્ષે પણ આ પર્વની ધડાકાભેર ઉજવણી ની સાથે  કેટલીક અપ્રિય ઘટના પણ બની હતી. રાજ્યના જુદા -જુદા જિલ્લાઓ માં નદી-તળાવમાં ડૂબી જવાની  કુલ આઠ  ઘટનાઓ બની હતી, જેમાં 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  આ ઘટનાઓ ભાવનગર, ખેડા, કલોલ, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને આણંદમાં  બની હતી

જેમાં વધુ મળેલી માહિતી મુજબ ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબી જતાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગત મુજબ વિદ્યાનગરની કોલેજમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓનું ગ્રૂપ ધૂળેટીની ઉજવણી કરવા વડતાલ આવ્યું હતું. તેમાંથી 5 વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા પડ્યા તે સમયે પગ લપસતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા.

મળતી માહિતી અનુસાર, તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બનાવની જાણ થતાં નડિયાદ ફાયબ્રિગેડની ટીમ સાથે બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ત્રણેયના મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎