:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વરુણ ગાંધીને કોંગ્રેસેમાં સામેલ થવા મળ્યું આમંત્રણ અધીર રંજન: સ્વચ્છ છબી , ગાંધી પરિવાર સાથે લગાવ પણ ...

top-news
  • 26 Mar, 2024

હાલમાં લોકસભા ની ચુંટણી માટે ઉમેદવારોના નામો ની જાહેરાત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે, એવા માં ભાજપે પીલીભીત લોકસભા બેઠક પરથી વરૂણ ગાંધીની ટિકિટ કાપી નાખતા કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે અને તેણે વરૂણ ગાંધીને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહરામપુરના સાંસદ અને વર્તમાન લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરૂણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

અધીર રંજને વરૂણ ગાંધીને ચૂંટણીમાં ટિકિટ આપવાનું પણ આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ગાંધી પરિવાર સાથે વરૂણ ગાંધીનો સંબંધ હોવાથી ભાજપે તેમની ટિકિટ કાપી છે. વરૂણ મોટા નેતા છે, તેમની ટિકિટ બિલકુલ કપાવી ન જોઈએ. વરૂણ ગાંધીએ કોંગ્રેસમાં આવી જવું જોઈએ. તેમના આવવાથી ખુશી થશે. તેઓ મોટા દબંગ નેતા છે, શિક્ષિત વ્યક્તિ પણ છે, સ્વચ્છ છબી ધરાવે છે અને ગાંધી પરિવાર સાથે પણ લગાવ છે, આ જ કારણે ભાજપે તેમને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો છે, તેથી જ તેમણે કોંગ્રેસમાં આવવું જોઈએ.’

લોકસભા બેઠકો માટે ભાજપે 24 માર્ચે 111 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આ યાદી જાહેર થયા બાદ સૌથી વધુ પીલીભીત બેઠકની ચર્ચાઓ શરૂ થઈ હતી. ભાજપે પીલીભીતના વર્તમાન સાંસદ વરૂણ ગાંધીની ટિકિટ કાપી યોગી સરકારના મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. વરૂણ ગાંધી ઘણા સમયથી પોતાની જ સરકાર પર પ્રહારો કરતા હતા. જોકે તાજેતરમાં તેઓ એક મંચ પર ભાજપ નેતાઓ સાથે જોવા મળ્યા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. જોકે અગાઉથી જ એવી અટકળો હતી કે, તેમની ટિકિટ કપાશે. હવે ભાજપે તેમના સ્થાને જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જિતિન પ્રસાદ યોગી સરકારમાં વર્તમાન મંત્રી છે.

એક દશક પૂર્વે વરૂણ ગાંધીની ગણના ભાજપમાં ‘ફાયર-બ્રાન્ડ’ નેતા તરીકે થતી હતી. તેઓને ભાજપના (ઉત્તરપ્રદેશના) મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે પણ મનાતા હતા. પરંતુ 2017માં ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા. તેનું કારણ તે હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી વરૂણ ખેડૂત આંદોલન, બેકારી, અને મોંઘવારી સહિત કેટલાએ મુદ્દાઓએ પોતાના જ પક્ષની સરકારો ઉપર હુમલા કરી રહ્યા હતા. ત્યારથી હવા ચાલી રહી હતી કે કદાચ આ વખતે વરૂણની ટિકીટ કાપવામાં આવશે.

વરુણ ગાંધી સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, વરુણે એરપોર્ટ પર દારૂની દુકાનોની જેમ રેલવે સ્ટેશનો પર દારૂના વેચાણને મંજૂરી આપવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી. અગાઉ, ઑક્ટોબર 2023 માં, તેમણે અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા બદલ યુપી સરકારના વહીવટની ટીકા કરી હતી. આ પહેલા 2020-21માં વરુણે પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન વરુણને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાંથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારે પણ એવી અટકળો હતી કે, વરુણ ગાંધી 2022માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી માં જોડાઈ શકે છે, પરંતુ એવું બન્યું નહીં.

જો વરૂણ ગાંધી કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડશે તો ગાંધી પરિવારના ગઢ અમેઠી અને રાયબરેલી બેઠક પર કોંગ્રેસની મજબૂતી વધશે. તેઓ કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસ એક દિગ્ગજ ચહેરો મળી જશે. દાવા મુજબ વરૂણ ગાંધીની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી  સાથે વાતચીત થતી રહે છે. પ્રિયંકાના વરૂણ સાથે સારા સંબંધો છે અને રાજકારણમાં કંઈપણ સંભવ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎