:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

જમ્મુ - શ્રીનગર નેશનલ હાઈવે 44 પર ભયંકર દુર્ઘટના : SUV કાર લપસીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડતાં 10 ના મોત ...

top-news
  • 29 Mar, 2024

 મોડી રાત્રે જમ્મુ - શ્રીનગર નેશનલ હાઈવે 44 પર રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાંથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બનાવની વિગત મુજબ ભારે વરસાદને કારણે શ્રીનગર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી જેમાં દસ લોકોના મોત થયા હતા. 

ભયાનક દુર્ઘટનાની જાણ થતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે ભારે વરસાદને કારણે તે 300 ફૂટ ઊંડી ખીણમાં લપસીને પડી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ ખીણ માંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના 47 વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે હજુ પણ  બચાવ કામગીરી ચાલી રહી છે.

વધુ માં આ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું- શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના મોકલું છુ . કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક્સ પર એક પોસ્ટ દ્વારા અકસ્માત વિશે લખ્યું છે. જિતેન્દ્રએ કહ્યું- બૅટરી ચશ્મા પાસે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક પેસેન્જર કાર ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં 10 લોકોના જીવ ગયા. પોલીસ, SDRF અને નાગરિક QRT ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. હું તેમના સતત સંપર્કમાં છું. ઉપરાંત ઘટના નો ભોગ બનેલા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎