:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

રૂપાલાના વિવાદીત નિવેદનથી નારાજ કરણીસેનાના પ્રમુખ : પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું, લગાવ્યો ઉપેક્ષાનો આરોપ

top-news
  • 30 Mar, 2024

ચુંટણી પ્રચાર હાલ પુર જોશથી ચાલી રહ્યો છે, જેમાં એક સભામાં ઉત્સાહભેર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર એક ના વિવાદીત નિવેદન આપવા બદલ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારબાદ મામલો વણસી જતાં પરિસ્થિતિ થાળે પાડવા માટે રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી હતી, પરંતુ જનતાનો આક્રોશ કઈ ઓછો થતો નથી ,ઊલટો વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે , એવામાં પરષોત્તમ રુપાલાના વિવાદિત નિવેદનને લઇને વધુ એક સભ્યની નારાજગી સામે આવી હતી ,જેમાં કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. તેમણે ભાજપ પર ક્ષત્રિયોની ઉપેક્ષોનો આરોપ લગાવ્યો છે.

કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.તેમણે પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ ભાજપ સરકારે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થઇ હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપી દીધુ છે. રાજ શેખાવતે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત સંમેલન ગણાવ્યુ અને કહ્યુ કે રૂપાલાએ માગેલી માફી અમને મંજુર નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎