નવાબ મલિકની તબિયત લથડી: શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ..
- 30 Mar, 2024
દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની લગભગ એક વર્ષ પહેલા ed દ્વારા ધરપકડ કરવામાં આવી હતી,થોડો સમય જેલમાં વિતાવ્યા બાદ તેમના સ્વાસ્થ્યમાં બદલાવ થતા તેઓ જામીન મેળવીને જેલમાંથી બહાર આવ્યા હતા. તેઓ કુર્લામાં જમીન ઉચાપત કેસને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર હેઠળ આવેલા હતા , આ દરમિયાન NCP નેતા નવાબ મલિકની તબિયત અચાનક બગડી છે. આ બાબતની જાણકારી તેમની પુત્રી સના મલિકે આપી હતી.
ત્યારથી તેમને કુર્લાની એક હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા. મલિક હવે કુર્લાની ક્રિટિકર સેન્ટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.નવાબ મલિકની 23 ફેબ્રુઆરી, 2022ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.
ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના નાણાકીય વ્યવહારો અને તેની બહેન સાથે જમીનના વ્યવહારના સંબંધમાં ED દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી.આ કારણોસર EDએ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ તે ઘણા દિવસો સુધી જેલમાં હતા. તેને થોડાં મહિના પહેલા તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા.
એનસીપીમાં બળવા પછી નવાબ મલિક અજિત પવાર સાથે રહ્યા. તેઓ વિધાનસભા સત્રમાં સત્તાધારી જૂથમાં બેઠા હતા. ટીકા બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પત્ર લખ્યો હતો. “સત્તા આવે છે અને જાય છે. નવાબ મલિકના મહાગઠબંધનમાં પ્રવેશનો વિરોધ કરતા દેવેન્દ્ર ફડણવીસે આ પત્રને સોશિયલ મીડિયા પર “પરંતુ સત્તા કરતાં વધુ મહત્વનો છે…” કેપ્શન સાથે પોસ્ટ કર્યો હતો.
ફડણવીસે કહ્યું હતું કે-મલિક પર જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે તે જોતાં તેમને મહાગઠબંધનમાં સામેલ કરવા યોગ્ય નથી. હાલમાં મલિક અજિત પવાર જૂથમાં છે. પરંતુ તેઓ હવે જાહેર કાર્યક્રમોમાં જોવા મળતા નથી. સ્વાસ્થ્યના કારણોસર તેઓ હાલ રાજકીય મંચથી દૂર રહે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ