:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

નવાબ મલિકની તબિયત લથડી: શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ..

top-news
  • 30 Mar, 2024

દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની લગભગ એક વર્ષ પહેલા ed  દ્વારા ધરપકડ કરવામાં આવી હતી,થોડો સમય જેલમાં વિતાવ્યા બાદ તેમના સ્વાસ્થ્યમાં બદલાવ થતા તેઓ જામીન મેળવીને જેલમાંથી બહાર આવ્યા હતા.  તેઓ કુર્લામાં જમીન ઉચાપત કેસને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર હેઠળ આવેલા હતા , આ દરમિયાન NCP નેતા નવાબ મલિકની તબિયત અચાનક બગડી છે. આ બાબતની જાણકારી તેમની પુત્રી સના મલિકે આપી હતી.

ત્યારથી તેમને કુર્લાની એક હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા. મલિક હવે કુર્લાની ક્રિટિકર સેન્ટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.નવાબ મલિકની 23 ફેબ્રુઆરી, 2022ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.

ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના નાણાકીય વ્યવહારો અને તેની બહેન સાથે જમીનના વ્યવહારના સંબંધમાં ED દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી.આ કારણોસર EDએ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ તે ઘણા દિવસો સુધી જેલમાં હતા. તેને થોડાં મહિના પહેલા તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા.

એનસીપીમાં બળવા પછી નવાબ મલિક અજિત પવાર સાથે રહ્યા. તેઓ વિધાનસભા સત્રમાં સત્તાધારી જૂથમાં બેઠા હતા. ટીકા બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પત્ર લખ્યો હતો. “સત્તા આવે છે અને જાય છે. નવાબ મલિકના મહાગઠબંધનમાં પ્રવેશનો વિરોધ કરતા દેવેન્દ્ર ફડણવીસે આ પત્રને સોશિયલ મીડિયા પર “પરંતુ સત્તા કરતાં વધુ મહત્વનો છે…” કેપ્શન સાથે પોસ્ટ કર્યો હતો.

ફડણવીસે કહ્યું હતું કે-મલિક પર જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે તે જોતાં તેમને મહાગઠબંધનમાં સામેલ કરવા યોગ્ય નથી. હાલમાં મલિક અજિત પવાર જૂથમાં છે. પરંતુ તેઓ હવે જાહેર કાર્યક્રમોમાં જોવા મળતા નથી. સ્વાસ્થ્યના કારણોસર તેઓ હાલ રાજકીય મંચથી દૂર રહે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎