:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

જ્યારે કોર્ટે દ્રૌપદીના ચીરહરણનો ઉલ્લેખ કર્યો: પંજાબની એક ઘટનાની ગંભીર નોંધ લેવાઈ

top-news
  • 09 Apr, 2024

પંજાબના તરનતારન વિસ્તારમાં એક મહિલાને નગ્ન ફેરવવાના એક મામલાની પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. કોર્ટે આ અંગે ટિપ્પણી કરતા નોંધ્યું છે કે આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. આ અંગે પોલીસને સખ્ત કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટે આ અંગે નોંધ્યું છે કે આ ઘટના મહાભારતમાં કૌરવો દ્વારા કરવામાં આવતા દ્રૌપદીના ચીર હરણની ઘટનાની યાદ અપાવે છે. 

તરનતારન જિલ્લામાં 55 વર્ષીય મહિલાને કથિત રીતે તેના સાસરિયાો દ્વારા માર મારવામાં આવ્યા પછીથી નગ્ન કરીને ફેરવવામાં આવી હતી. પોલીસના જણાવ્યાં મુજબ, પીડિત મહિલાની એક છોકરીએ તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. આ ઘટનામાં ગત છ એપ્રિલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે પાંચમા આરોપીની પછીથી ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે જસ્ટિસ વશિષ્ઠે કહ્યું કે આ ઘટનાને જોતા મને મહાભારતના સમયની યાદ આવી, જેમાં કૌરવોના આદેશ પર દ્રૌપદીનું ચીર હરણ કરવામાં આવ્યું હતું અને ભીષ્મ પિતામહ સહિતના પાંડવોએ આ અંગે મોન રાખ્યું હતું, જેના પગલે મહાભારતનું યુદ્ધ થયું હતું અને તેમાં હજારો લોકોના મૃત્યું થયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎