:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અરવિંદ કેજરીવાલની અરજી ફગાવવામાં આવ્યા પછી શું કરશે આમ આદમી પાર્ટી: AAPએ લીધો આ મોટો નિર્ણય

top-news
  • 09 Apr, 2024

દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણય સાથે આમ આદમી પાર્ટી સહમત નથી. આમ આદમી પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેઓ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે. સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે એટલે કે બુધવારે કેજરીવાલ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કહેવાતી એક્સાઈઝ પોલિસીમાં અત્યાર સુધી જે કંઈ થયું છે તે જોતા સમજી શકાય છે કે આ આખો મામલો મની લોન્ડરિંગનો નથી પરંતુ રાજકીય ષડયંત્રનો છે.  તેમણે કહ્યું કે આ સૌથી વધુ વોટ અને સીટો જીતનાર સીએમ અને તેમની બે સરકારોને ખતમ કરવાનું મોટું ષડયંત્ર છે. હજારો કરોડની વાત થઈ, પછી સેંકડો કરોડની વાત આવી, પછી 100 કરોડની વાત થઈ પણ એક રૂપિયો પણ રિકવર ન થયો એટલે હવે તપાસ પર સવાલો ઉઠ્યા છે. 

સૌરભ ભારદ્વાજે કહ્યું કે સાક્ષીઓ પર જુબાની માટે કેવું-કેવું દબાણ કરવામાં આવ્યું તે અંગેની વાત વારંવાર કોર્ટ સમક્ષ આવી હતી. ચંદન રેડ્ડી પર તેમનું નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેને એટલો માર મારવામાં આવ્યો કે તેમના કાનના પડદા ફાટી ગયા. અરુણ પિલ્લઈને ડરાવવામાં આવ્યો હતો અને તેની જુબાની બદલવાની ધમકી આપવામાં આવી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎