:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

આરોપીને નજરકેદ ભારે પડી: સરકારને ચુકવવા પડશે 1.64 કરોડ...

top-news
  • 10 Apr, 2024

સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ ગૌતમ નવલખા સાથે એ વાતની સ્પષ્ટતા કરી છે કે નજરકેદમાં રહેવા દરમિયાન મળેલી સુરક્ષાનો ખર્ચ તેમણે જ આપવો પડશે. કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુરક્ષા માટે મોકલવામાં આવેલા પોલીસ કર્મચારીઓનો ખર્ચની ચુકવણીથી તેઓ ન બચી શકે. આ માટેનું કારણ જણાવતા કોર્ટે કહ્યું કે તેમણે પોતે જ હાઉસ એરેસ્ટની માંગણી કરી હતી.

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેન્ચે જણાવ્યું કે નજરકેદમાં રહેવા દરમિયાન નવલખા પર 1.64 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની તેમણે ચુકવણી કરવાની છે. ઉલ્લેખનીય છે કે તેમની અલ્ગાર પરિષદ-માર્કસિસ્ટને લગતા મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની નજરકેદની માંગણી કરતી અરજીને ગ્રાહ્ય રાખી હતી.

કોર્ટે એક્ટિવિસ્ટ નવલખાના વકીલને કહ્યું કે તમે નજરકેદની માંગ કરી હોવાથી આ અંગેના ખર્ચની ચુકવણી પણ તમારે જ કરવાની રહેશે. બેન્ચે કહ્યું કે ચુકવણીની જવાબદારીમાંથી તમે છટકી ન શકો. કારણ કે આ અંગેની માંગણી પણ તમારા દ્વારા જ કરવામાં આવી હતી. એનઆઈએ જણાવ્યું કે 1.64 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની નીકળે છે, જે નવલખાએ કરવાની રહેશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎