:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

માલદીવને ભારતનો વિરોધ ભારે પડ્યો: હવે મુંબઈમાં રોડ શો કરશે....

top-news
  • 12 Apr, 2024

ભારતની સાથેના સંબંધોને તણાવપૂર્ણ બનાવીને માલદીવે પોતાના જ પગ પર કુહાડી મારવાનું કામ કર્યું છે. ભારતથી માલદીવ ફરવા માટે જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તેની અસર માલદીવની ઈકોનોમી પર પડી રહી છે. તેના પગલે માલદીવની એક મોટી ટુરિઝમ સંસ્થાએ ભારતીય પર્યટકોને મનાવવા માટે ભારતના મોટા શહેરમાં રોડ શો કરવાનો નિર્ણય કર્યો છે. જેથી કરીને ભારતીય પ્રવાસીઓની માલદીવ માટે બંધાઈ ગયેલી ધારણાને બદલી શકાય અને તેમનામાં ફરી એક વખત માલદીવ માટેનો પ્રેમ જાગ્રૃત કરી શકાય. 

ઉલ્લેખનીય છે કે સમુદ્રથી ધેરાયેલા માલદીવની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પર્યટન છે. અહીં ભારતીયો વેકેશનમાં મોટી સંખ્યામાં આવે છે. જોકે સ્થિતિ ત્યારે બદલાઈ જ્યારે રાષ્ટ્રપતિ મુઈજ્જૂએ તેમના ચૂંટણી અભિયાનમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો. તેના પગલે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. ભારતીય સૈનિકોને પણ પોતાના દેશમાંથી બહાર નીકળવા અંગેનો આદેશ માલદીવે આપ્યો છે.

આ ઘટના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્રીપથી પોતાની તસ્વીર બહાર પાડી હતી. તે પછીથી સોશિયલ મીડિયા પર લક્ષદ્રીપ અને માલદીવની સરખામણી થવા લાગી. તે પછીથી માલદીવના ઘણા મંત્રીઓ સહિત કેટલાક અધિકારીઓએ ભારતની વિરુદ્ધ અપમાનજક ટિપ્પણી કરી હતી. તે પછીથી માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યામાં ઘટાડો આવ્યો. હવે ભારત આ નુકસાનને ભરપાઈ કરવા માટેના પગલાઓ ભરી રહ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎