માલદીવને ભારતનો વિરોધ ભારે પડ્યો: હવે મુંબઈમાં રોડ શો કરશે....
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12042024_050420_Maldives 12.jpg)
- 12 Apr, 2024
ભારતની સાથેના સંબંધોને તણાવપૂર્ણ બનાવીને માલદીવે પોતાના જ પગ પર કુહાડી મારવાનું કામ કર્યું છે. ભારતથી માલદીવ ફરવા માટે જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તેની અસર માલદીવની ઈકોનોમી પર પડી રહી છે. તેના પગલે માલદીવની એક મોટી ટુરિઝમ સંસ્થાએ ભારતીય પર્યટકોને મનાવવા માટે ભારતના મોટા શહેરમાં રોડ શો કરવાનો નિર્ણય કર્યો છે. જેથી કરીને ભારતીય પ્રવાસીઓની માલદીવ માટે બંધાઈ ગયેલી ધારણાને બદલી શકાય અને તેમનામાં ફરી એક વખત માલદીવ માટેનો પ્રેમ જાગ્રૃત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે સમુદ્રથી ધેરાયેલા માલદીવની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પર્યટન છે. અહીં ભારતીયો વેકેશનમાં મોટી સંખ્યામાં આવે છે. જોકે સ્થિતિ ત્યારે બદલાઈ જ્યારે રાષ્ટ્રપતિ મુઈજ્જૂએ તેમના ચૂંટણી અભિયાનમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો. તેના પગલે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. ભારતીય સૈનિકોને પણ પોતાના દેશમાંથી બહાર નીકળવા અંગેનો આદેશ માલદીવે આપ્યો છે.
આ ઘટના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્રીપથી પોતાની તસ્વીર બહાર પાડી હતી. તે પછીથી સોશિયલ મીડિયા પર લક્ષદ્રીપ અને માલદીવની સરખામણી થવા લાગી. તે પછીથી માલદીવના ઘણા મંત્રીઓ સહિત કેટલાક અધિકારીઓએ ભારતની વિરુદ્ધ અપમાનજક ટિપ્પણી કરી હતી. તે પછીથી માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યામાં ઘટાડો આવ્યો. હવે ભારત આ નુકસાનને ભરપાઈ કરવા માટેના પગલાઓ ભરી રહ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ