:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ઇઝરાયલે હમાસ પર કર્યો બોમ્બમારોઃ 400થી વધુના મોત, મૃતકોમાં મહિલા અને બાળકોનો સમાવેશ

top-news
  • 23 Oct, 2023

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે. અલજઝીરા અનુસાર, ઇઝરાયલની સેનાએ રફાહ અને જબાલિયા કેમ્પ સહિત 25 સ્થળોએ ભારે બોમ્બમારો કર્યો છે. જબાલિયામાંથી અત્યાર સુધીમાં 30 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર ઇઝરાયલનો બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 4,651 પેલેસ્ટાઈનનાં મોત થયા છે. જ્યારે 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઇઝરાયલ પણ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલે સોમવારે હિઝબુલ્લાહની બે જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયલની સેના અનુસાર, હિઝબુલ્લાહના આતંકવાદીઓ આ બેઝ પરથી ઇઝરાયલ પર એન્ટી ટેન્ક મિસાઈલ અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યા હતા. તે જ સમયે, 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 1400 લોકોનાં મોત થયા છે.

આ તરફ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે ઇઝરાયલી સૈનિકોને મળ્યા જેઓ લેબનોનથી સતત હુમલાનો જવાબ આપી રહ્યા હતા. તેણે સૈનિકોને કહ્યું કે યુદ્ધમાં જોડાવું એ હિઝબુલ્લાહની સૌથી મોટી ભૂલ હશે.

તેણે હિઝબુલ્લાહને ચેતવણી પણ આપતાં કહ્યું કે, હુમલા ચાલુ રાખવાથી અથવા યુદ્ધ શરૂ કરવાથી, ઇઝરાયલ એવી પ્રતિક્રિયાત્મક કાર્યવાહી કરશે જે લેબનોનમાં વિનાશ લાવી શકે છે. હમાસ સાથે યુદ્ધમાં જોડાવું એ હિઝબુલ્લાહની સૌથી મોટી ભૂલ હશે.

આ દરમિયાન, ઇઝરાયલની સેનાએ કહ્યું- ઇઝરાયલ પર અત્યાર સુધીમાં 7400 રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. જો કે, 7 ઓક્ટોબરે હમાસે દાવો કર્યો હતો કે તેણે એક જ દિવસમાં ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા હતા. યુદ્ધમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.