:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઇઝરાયલે હમાસ પર કર્યો બોમ્બમારોઃ 400થી વધુના મોત, મૃતકોમાં મહિલા અને બાળકોનો સમાવેશ

top-news
  • 23 Oct, 2023

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે. અલજઝીરા અનુસાર, ઇઝરાયલની સેનાએ રફાહ અને જબાલિયા કેમ્પ સહિત 25 સ્થળોએ ભારે બોમ્બમારો કર્યો છે. જબાલિયામાંથી અત્યાર સુધીમાં 30 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર ઇઝરાયલનો બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 4,651 પેલેસ્ટાઈનનાં મોત થયા છે. જ્યારે 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઇઝરાયલ પણ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલે સોમવારે હિઝબુલ્લાહની બે જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયલની સેના અનુસાર, હિઝબુલ્લાહના આતંકવાદીઓ આ બેઝ પરથી ઇઝરાયલ પર એન્ટી ટેન્ક મિસાઈલ અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યા હતા. તે જ સમયે, 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 1400 લોકોનાં મોત થયા છે.

આ તરફ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે ઇઝરાયલી સૈનિકોને મળ્યા જેઓ લેબનોનથી સતત હુમલાનો જવાબ આપી રહ્યા હતા. તેણે સૈનિકોને કહ્યું કે યુદ્ધમાં જોડાવું એ હિઝબુલ્લાહની સૌથી મોટી ભૂલ હશે.

તેણે હિઝબુલ્લાહને ચેતવણી પણ આપતાં કહ્યું કે, હુમલા ચાલુ રાખવાથી અથવા યુદ્ધ શરૂ કરવાથી, ઇઝરાયલ એવી પ્રતિક્રિયાત્મક કાર્યવાહી કરશે જે લેબનોનમાં વિનાશ લાવી શકે છે. હમાસ સાથે યુદ્ધમાં જોડાવું એ હિઝબુલ્લાહની સૌથી મોટી ભૂલ હશે.

આ દરમિયાન, ઇઝરાયલની સેનાએ કહ્યું- ઇઝરાયલ પર અત્યાર સુધીમાં 7400 રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. જો કે, 7 ઓક્ટોબરે હમાસે દાવો કર્યો હતો કે તેણે એક જ દિવસમાં ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા હતા. યુદ્ધમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.