:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

UPSCનું રિઝલ્ટ જાહેર, આદિત્ય શ્રીવાસ્તવ ટોપર: સિવિલ સર્વિસીસમાં 1016 ઉમેદવારોની પસંદગી કરાઈ

top-news
  • 16 Apr, 2024

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ 2023નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 1,016 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે. આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ  પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રૂપ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રૂપ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

IAS માટેના ઈન્ટરવ્યૂ ચોથી જાન્યુઆરીથી નવમી એપ્રિલ 2024 સુધી ચાલ્યા હતા. UPSC મુજબ, કુલ 2,800થી વધુ ઉમેદવારો વિવિધ તબક્કામાં લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં હાજર થયા હતા. આ સમગ્ર પ્રક્રિયા પછી આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય પદ પર પસંદ કરાયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર તેમના રેન્ક અનુસાર જાહેર કરવામાં આવ્યા છે.

યુપીએસસીએ આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય સેવાઓમાં ગ્રૂપ A અને ગ્રૂપ Bની ભરવા માટે પરીક્ષાનું આયોજન કર્યું હતું. યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સની પરીક્ષા 28મી મે 2023માં લેવામાં આવી હતી. પ્રિલિમ્સમાં સફળ થયેલા ઉમેદવારો પરીક્ષાના આગળના રાઉન્ડમાં હાજર થયા. UPSC દ્વારા 15, 16, 17, 23 અને 24મી સપ્ટેમ્બર 2023માં બે શિફ્ટમાં પરીક્ષાનો બીજો રાઉન્ડ લેવામાં આવ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎