:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

છત્તીસગઢમાં મતદાન પહેલા એન્કાઉન્ટર: નક્સલીઓના ટોપ કમાન્ડર સહિત 18નાં મોત

top-news
  • 16 Apr, 2024

દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. એવામાં ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટર થયું છે. પોલીસ અને નકસલીઓની વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. છોટે બેઠિયાના માડ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ છે. ઘાયલ જવાનોને જંગલમાંથી કાઢવા માટે વધારાની ફોર્સને મોકલવામાં આવી છે. 

એન્કાઉન્ટરમાં નક્સલી કમાન્ડર શંકર રાવનું પણ મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં 18 લાશ મળી ચુકી છે. આ ઉપરાંત ઓટોમેટિક રાઈફલો પણ જપ્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 3 જેટલા પોલીસ કર્મચારીઓ આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે.

SP કલ્યાણ અલિસેલાએ પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટરમાં 18 નકસલીઓ ઠાર થયા છે. તેમણે જણાવ્યું કે ટોપ નક્સલી કમાન્ડર શંકર રાવ પણ તેમા ઠાર થયો છે. શંકર રાવ પર 28 લાખનું ઈનામ હતું. 7 AK47 રાઈફલની સાથે 1 ઈંસાસ રાયફલ અને 3LMG પણ જપ્ત થઈ છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎