:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

છત્તીસગઢમાં મતદાન પહેલા એન્કાઉન્ટર: નક્સલીઓના ટોપ કમાન્ડર સહિત 18નાં મોત

top-news
  • 16 Apr, 2024

દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. એવામાં ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટર થયું છે. પોલીસ અને નકસલીઓની વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. છોટે બેઠિયાના માડ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ છે. ઘાયલ જવાનોને જંગલમાંથી કાઢવા માટે વધારાની ફોર્સને મોકલવામાં આવી છે. 

એન્કાઉન્ટરમાં નક્સલી કમાન્ડર શંકર રાવનું પણ મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં 18 લાશ મળી ચુકી છે. આ ઉપરાંત ઓટોમેટિક રાઈફલો પણ જપ્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 3 જેટલા પોલીસ કર્મચારીઓ આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે.

SP કલ્યાણ અલિસેલાએ પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટરમાં 18 નકસલીઓ ઠાર થયા છે. તેમણે જણાવ્યું કે ટોપ નક્સલી કમાન્ડર શંકર રાવ પણ તેમા ઠાર થયો છે. શંકર રાવ પર 28 લાખનું ઈનામ હતું. 7 AK47 રાઈફલની સાથે 1 ઈંસાસ રાયફલ અને 3LMG પણ જપ્ત થઈ છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎