:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ભાજપના ઉમેદવાર સાથે અછૂત જેવો વ્યવહાર: જાણો તેમને શું કહે છે મુસ્લિમ મતદારો

top-news
  • 18 Apr, 2024

કેરળના ભાજપના એક મુસ્લિમ ઉમેદવાર સાથે મસ્જિદ સહિત માર્કેટમાં લોકો "હરામ"(અછૂત જેવું) જેવો વ્યવહાર કરી રહ્યાં છે. ડોક્ટર અબ્દુલ સલામ કેરળના ભાજપના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે. તેઓ મલ્લાપુરમ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. અહીં કુલ વસ્તીના 68.4 ટકા મતદારો મુસ્લિમ છે. ચૂંટણી પ્રચારનો પ્રત્યેક દિવસ ડોક્ટર અબ્દુલ માટે પડકાર સમાન સાબિત થઈ રહ્યો છે. 

મલ્લપુરમ ગામની મંદીન મસ્જિદ ખાતે ઈદની નમાઝ અદા કર્યા પછી ડોક્ટર અબ્દુલે  પુલ્લિકલ ગામ નજીક મતદારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન થયેલા ખરાબ અનુભવ વિશે વાત કરતા તેમણે કહ્યું કે નમાઝ પછી હું મસ્જિદની બહાર આવ્યો અને તે સમયે 60 વર્ષના એક વૃદ્ધે મને ઈદની શુભકામના પાઠવી અને પછીથી મારુ અપમાન કરતા કહ્યું કે તમે તો રાજદ્રોહી છો. મારી આસપાસના લોકો પણ આ સાંભળી ચૂપ થઈ ગયા હતા. તે સમયે ખરેખર હું ભાગી પડ્યો હતો. હું પણ મુસ્લિમ જ છું પરંતુ ભાજપમાં જોડાયો એટલે આ લોકોએ મારી સાથેનો વ્યવહાર બદલી નાંખ્યો છે.  

ડોક્ટર સલામ કોલકતા યુનિવર્સિટીના કુલપતિ પણ  રહી ચુક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન છે. જોકે તેઓ તેમની સાથે તેમની કોમ દ્વારા કરાતા વ્યવહારને બાજુ પર મુકીને ચૂંટણીપ્રચારમાં એનડીએ સકારે કરેલા વિકાસના કાર્યની વાત કરે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎