:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

દુબઈ જતા હોય તો ખાસ વાંચો: UAE જતા પ્રવાસીઓને ભારતીય એમ્બેસીની ચેતવણી

top-news
  • 20 Apr, 2024

ભારતીય એમ્બેસીએ યુએઈમાં આવતા ભારતના પ્રવાસીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. એમ્બેસીએ જણાવ્યું છે કે અહીંની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારતીયોએ તેમની ખૂબ જ મહત્વની ન હોય તેવી યુએઈની મુસાફરીને ટાળવી જોઈએ અને મુસાફરીના કાર્યક્રમમાં ફેરફાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે દુબઈમાં કૃત્રિમ વરસાદ પડતા પુર આવ્યું છે. 

હાલ યુએઈ તાજેતરમાં આવેલા પુરમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ અઠવાડિયામાં આવેલા પુરના કારણે દુબઈ અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. એમ્બેસીએ જણાવ્યું હતું કે હાલ યુએઈના સત્તાવાળાઓ સ્થિતિ સામાન્ય બને તે માટે રાત-દિવસ કામ કરી રહ્યાં છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે પેસેન્જર્સે જે તે એરલાઈન્સ પાસેથી ફ્લાઈટ્સની ઉપડવાની તારીખ અને સમયને કન્ફોર્મ કરીને જ એરપોર્ટ પર આવવું.

ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના પગલે હાલ યુએઈ એરપોર્ટ પર ખૂબ જ મર્યાદિત ફ્લાઈટ્સ આવી રહી છે. દુબઈનું એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે અને આ એરપોર્ટ 24 કલાકમાં જ તેનું સામાન્ય ઓપરેશન શરૂ કરે તેવું લાગી રહ્યું છે. યુએઈમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને તકલીફ ન પડે તે ભારતના દુબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ 17 એપ્રિલથી ઈમરજન્સી હેલ્પલાઈન નંબર્સ શરૂ કર્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎