:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દુબઈ જતા હોય તો ખાસ વાંચો: UAE જતા પ્રવાસીઓને ભારતીય એમ્બેસીની ચેતવણી

top-news
  • 20 Apr, 2024

ભારતીય એમ્બેસીએ યુએઈમાં આવતા ભારતના પ્રવાસીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. એમ્બેસીએ જણાવ્યું છે કે અહીંની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારતીયોએ તેમની ખૂબ જ મહત્વની ન હોય તેવી યુએઈની મુસાફરીને ટાળવી જોઈએ અને મુસાફરીના કાર્યક્રમમાં ફેરફાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે દુબઈમાં કૃત્રિમ વરસાદ પડતા પુર આવ્યું છે. 

હાલ યુએઈ તાજેતરમાં આવેલા પુરમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ અઠવાડિયામાં આવેલા પુરના કારણે દુબઈ અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. એમ્બેસીએ જણાવ્યું હતું કે હાલ યુએઈના સત્તાવાળાઓ સ્થિતિ સામાન્ય બને તે માટે રાત-દિવસ કામ કરી રહ્યાં છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે પેસેન્જર્સે જે તે એરલાઈન્સ પાસેથી ફ્લાઈટ્સની ઉપડવાની તારીખ અને સમયને કન્ફોર્મ કરીને જ એરપોર્ટ પર આવવું.

ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના પગલે હાલ યુએઈ એરપોર્ટ પર ખૂબ જ મર્યાદિત ફ્લાઈટ્સ આવી રહી છે. દુબઈનું એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે અને આ એરપોર્ટ 24 કલાકમાં જ તેનું સામાન્ય ઓપરેશન શરૂ કરે તેવું લાગી રહ્યું છે. યુએઈમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને તકલીફ ન પડે તે ભારતના દુબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ 17 એપ્રિલથી ઈમરજન્સી હેલ્પલાઈન નંબર્સ શરૂ કર્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎