:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

પવાર સાહેબે મને BJP સાથે વાત કરવા કહ્યું...: કાકાને લઈને અજીત પવારે કર્યો મોટો દાવો

top-news
  • 20 Apr, 2024

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપી પ્રમુખ અજીત પવાર પોતાના રાજકારણને લઈને હાલ સમાચારમાં છે. હવે તેમણે પોતાની દિનચર્યાનો ખુલાસો કરતા જણાવ્યું કે તેઓ 5 વાગે જાગી જાય છે અને 6 વાગ્યાથી પોતાનું કામ શરૂ કરે છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે પવાર સાહેબે મને પ્રફુલ પટેલ અને જયંત પાટિલને બીજેપી સાથે વાત કરવા કહ્યું હતું. હું તમને એ પત્ર બતાવવા તૈયાર છું. 

અજીત પવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું સવારે 6 વાગ્યાથી કામ શરૂ કરી દઉં છું. આ લડાઈ પવાર Vs પવાર નથી. જોકે આ મુકાબલો મોદી Vs રાહુલ ગાંધીનો છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM બન્યા. અમે તેમના માટે વોટ માંગી રહ્યાં છે. તેના પગલે અમને ફન્ડ્સ મળ્યું. પરિવારની લડાઈ મીડિયા જોઈ જ રહ્યું છે. 

એ વાત ખોટી છે કે મને અમિત શાહે કહ્યું કે પત્નીને ઉતારો એટલે અમને વિશ્વાસ થશે. મારા ઉમેદવારોને મેં ચૂંટ્યા છે. EDનો ડર દેખાડીને મને તોડવામાં આવ્યો છે, એ આરોપ પણ ખોટો છે. પવાર સાહેબે મને, પ્રફુલ પટેલ અને જયંત પાટિલને બીજેપી સાથે વાતચીત કરવા કહ્યું છે. હું તે પત્ર બતાવવા તૈયાર છું.

આ ખોટી ઈન્કવાયરી બંધ થઈ છે. હાલ પણ બધા પર ઈન્કવાયરી ચાલી રહી છે. મોદીના વિઝનના પગલે અમે નક્કી કર્યું છે કે તેમની સાથે જવું જોઈએ. બીજેપી એનસીપીને ખત્મ કરવા માંગે છે, આ આરોપ ખોટો છે. મને ખબર નથી કે 400ની પાર જવાશે કે નહીં, જોકે કોશિશ ચાલી રહી છે. પીએમ ઘણી રેલીઓ કરી રહ્યાં છે. હું સીએમ બનવા માંગુ છું, જો મને નંબર મળ્યા, લોકોએ સપોર્ટ કર્યો તો હું જરૂર સીએમ બનીશ. અમે જે લાઈન લીધી છે, તે લાઈન શરદ પવારને યોગ્ય લાગશે તો સાથે આવવામાં મને કોઈ મુશ્કેલી નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎