લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો: વાયનાડમાં આવતીકાલે મતદાન
- 25 Apr, 2024
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું વોટિંગ શુક્રવારે થશે. ચૂંટણીનો બીજો તબક્કો એટલા માટે મહત્વનો છે કારણ કે આ તબક્કામાં વાયનાડમાં મતદાન થશે. આ ઉપરાંત અમેઠીની ચર્ચા થઈ રહી છે, કારણ કે તે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસ હજી સુધી કોઈ ઉમેદવાર નક્કી કરી શકી નથી. બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે, ત્યારે કોંગ્રેસની નજર રાયબરેલી અને અમેઠી પર રહી શકે છે.
અમેઠી અને રાયબરેલી માટે નામાંકન 26 એપ્રિલથી શરૂ થશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા પરિવારના ભૂતપૂર્વ ગઢમાંથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અમેઠી અને રાયબરેલી જતા પહેલા રામ લલ્લાના આર્શીવાદ લેવા અયોધ્યા જવાની પ્રબળ શક્યતા છે. જોકે આ બાબતે હાલ કોંગ્રેસના નેતાઓ કોઈ જ પ્રતિક્રિયા આપી રહ્યાં નથી.
ગત ચૂંટણીની જેમ આ વખતે પણ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે. જોકે તે આ વખતે અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ