:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અમદાવાદ-વડોદરા કોર્પોરેશનનો મોટો નિર્ણય... કર્મચારીઓને મળશે 30 ટકા પગાર વધારો

top-news
  • 24 Oct, 2023

તાજેતરમાં જ ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓને 30 ટકા પગાર વધારાની દિવાળીની ભેટ આપી હતી. ત્યારે હવે અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને પણ 30 ટકા પગાર વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પગલે મહાનગર પાલિકાએ પણ કર્મચારીઓનો પગાર વધારવા માટે આદેશ કર્યો છે. 

વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને લાભ મળશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત સરકારે લાંબા સમયથી વેતન વધારા માટે માંગ કરી રહેલાં ફિક્સ પે કર્મચારીઓને 30 ટકા પગાર વધારો આપ્યો હતો. સરકારના આદેશથી વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ રાજ્ય સરકારને પગલે પગાર વધારો આપવાનો આદેશ કર્યો છે. બંને કોર્પોરેશનમાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. 


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎