:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા: ટેકેદારો હાજર ન રહેતા ફોર્મ રદ થયું હતું

top-news
  • 26 Apr, 2024

સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફોર્મ અમાન્ય ઠરવા બદલ નિષ્કાળજીને લઈને કોઈ પણ પ્રકારનો ખુલાસો તેમણે ન કરતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કુંભાણી હાલ ક્યા છે તે અંગે પણ કોઈ જાણકારી નથી, તેના પગલે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. 

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેષ કુંભાણીના ફોર્મમાં મોટી ખામી સામે આવી હતી. જેમાં કુંભાણીના ટેકેદારો અને તેમની સહી અયોગ્ય ઠરી હતી. તે પછીથી કાર્યવાહી થઈ હતી અને કલેક્ટર કચેરીએ તપાસ માટે બોલાવામાં આવ્યા હતા. પછીથી એક દિવસનો સમય કુંભાણીને અપાયો હતો. જોકે કુંભાણી તેમના ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા, તેના પગલે અંતે તેમનું ફોર્મ રદ થયુ હતુ. તે પછીથી એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાશે. આ ચર્ચાઓને પગલે તેમના ઘરની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા અને તેમને ગદ્દાર કીધા હતા. જોકે હજી સુધી કુંભાણી કઈ જગ્યાએ છે, તેના કોઈ સમાચાર મળ્યા નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎