:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા: ટેકેદારો હાજર ન રહેતા ફોર્મ રદ થયું હતું

top-news
  • 26 Apr, 2024

સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફોર્મ અમાન્ય ઠરવા બદલ નિષ્કાળજીને લઈને કોઈ પણ પ્રકારનો ખુલાસો તેમણે ન કરતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કુંભાણી હાલ ક્યા છે તે અંગે પણ કોઈ જાણકારી નથી, તેના પગલે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. 

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેષ કુંભાણીના ફોર્મમાં મોટી ખામી સામે આવી હતી. જેમાં કુંભાણીના ટેકેદારો અને તેમની સહી અયોગ્ય ઠરી હતી. તે પછીથી કાર્યવાહી થઈ હતી અને કલેક્ટર કચેરીએ તપાસ માટે બોલાવામાં આવ્યા હતા. પછીથી એક દિવસનો સમય કુંભાણીને અપાયો હતો. જોકે કુંભાણી તેમના ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા, તેના પગલે અંતે તેમનું ફોર્મ રદ થયુ હતુ. તે પછીથી એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાશે. આ ચર્ચાઓને પગલે તેમના ઘરની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા અને તેમને ગદ્દાર કીધા હતા. જોકે હજી સુધી કુંભાણી કઈ જગ્યાએ છે, તેના કોઈ સમાચાર મળ્યા નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎