:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અમિત શાહના નકલી વીડિયોનો મામલોઃ તેલંગાણાના મુખ્યમંત્રી રેવાન્થ રેડ્ડીને દિલ્હી પોલીસનું તેડું

top-news
  • 29 Apr, 2024

ગૃહમંત્રી અમિત શાહના વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલામાં દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી સીએમ રેવાન્થ રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે. એમ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસના તેલંગાણા યુનિટ દ્વારા વીડિયોને એડિટ કરીને વાઈરલ કરવામાં આવ્યો હતો.

રેવનાથ રેડ્ડી તેલંગાણામાં પોતે કોંગ્રેસના સ્ટેટ પ્રેસિડન્ટ પણ છે. તેમને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સહિતની વસ્તુઓને વધુ તપાસ માટે જમા કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયો મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ વીડિયોમાં ગૃહમંત્રી શિડ્યુલ્ડ કાસ્ટ(SC), શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ(ST) અને અન્ય બેકવર્ડ ક્લાસીસ(OBC) માટેના રિઝર્વેશનને રદ કરવાની વાત કરતા દેખાઈ રહ્યાં છે.

આ વીડિયોની સત્યતા અંગે ભાજપે સવાલ કરતા દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. બીજેપીએ આ વાતને વખોડતા કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે એક રાજકીય રેલી દરમિયાન આપેલા નિવેદનને બદલી નાંખવામાં આવ્યું છે. આ અંગે ભાજપના પ્રવક્તા અમિત માલવીયાએ કહ્યું કે તેલંગણામાં મુસ્લિમ આરક્ષણ પરની ગૃહમંત્રીની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં  કહ્યું કે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો એડિટેડ વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર નકલી છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમોને ધર્મને આધારે અપાયેલા આરક્ષણને રદ કરવાની વાત કહી હતી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎