ભારતે અમેરિકાના મીડિયાના દાવાને ઠુકરાવ્યો: પન્નુની હત્યામાં રો અધિકારીની સંડોવણીની વાત ખોટી
- 30 Apr, 2024
ભારતે અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના દાવાને ઠુકરાવ્યો છે. ભારતે કહ્યું છે કે ખાલીસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુની હત્યા અમેરિકાની ધરતી પર પૂર્વ ભારતીય ઈન્ટેલિજન્સ અધિકારી દ્વારા કરવામાં આવી નહોતી. એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુરુપતવંત સિંહની હત્યા એક પૂર્વ ભારતીય ઈન્ટેલિજન્સ અધિકારી દ્વારા કરવામાં આવી હતી
અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિક્રમ યાદવ કે જેઓ ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિગ(RAW)માં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેઓએ પન્નુની હત્યા કરવા માટે એક ટીમની નિમણૂંક કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે કહ્યું હતું કે આ રિપોર્ટ યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2022માં આ મુદ્દો ચગ્યો હતો. તે સમયે ફાઈનાન્શિયલ ટાઈમ્સે આ અંગે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલમાં પન્નુને મારી નાંખવા માટે ભારતે ષડયંત્ર બનાવ્યું હોવાની વાત પણ હતી. જોકે અમેરિકાએ આ સમગ્ર મામલાને નિષ્ફળ બનાવ્યો હોવાની વિગતો પણ આ રિપોર્ટ માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ