કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીના આકરા પ્રહારો: કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાનમાં થઈ રહી છે દુઆ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02052024_082031_PM Modi.webp)
- 02 May, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને તેના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસના શેહજાદા માથા પર બંધારણ રાખીને નાચી રહ્યાં છે. કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાનમાં દુઆ કરવામાં આવી રહી છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના સમયમાં દેશમાં બે બંધારણ ચાલતા હતા. બે ઝંડા હતા. મેં કાશ્મીરમાં ત્રિરંગો લેહરાવીને સરદાર સાહેબના સપનાને પુરા કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઈ ગયું છે. જેના હાથમાં એક સમયે બોમ્બ હતા, તેના હાથમાં આજે ભીખ માંગવાનો કટોરો છે. પીએમએ કહ્યું કે કોંગ્રેસની નબળી સરકાર આતંકના આકાઓને ડોઝિયર આપતી હતી અને મોદીની મજબૂત સરકાર ડોઝિયરમાં ટાઈમ ખરાબ કરતી નથી. આ સરકાર આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ મરી રહી છે અને પાકિસ્તાન રડી રહ્યું છે. તમને એ વાતનો ખ્યાલ હશે કે કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાન માં દુઆ થઈ રહી છે. ભારતમાં પાકિસ્તાનને મજબૂત સરકાર જોઈતી નથી. તેને એવી સરકાર જોઈએ છે, જે તેને ડોઝિયર આપી શકે.
મોદીએ કહ્યું કે મોદીની મજબૂત સરકાર ઝૂંકતી પણ નથી અને રુકતી પણ નથી. દુનિયાના વિકાસમાં ભારત ગતિ આપી શકે છે. વિશ્વમાં ઝઘડાઓ થાય છે અને તેમાં ભારતને વિશ્વ બંધુ તરીકે ઝઘડાઓનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની ઝલક છે. કોંગ્રેસની સરકાર પહેલા રિમોટ કન્ટ્રોલથી ચાલતી હતી. જ્યારથી મોદી ગરીબોને પૂજવા લાગ્યા, ત્યારથી ગરીબોએ કોંગ્રેસના ચરિત્રને જાણી લીધું અને કોંગ્રેસને છોડી દીધી. મોદી ગરીબોને ઘર આપે છે. માત્ર પાક્કા મકાન જ નહિં તેમના સપનાને નવી ઉડાન પણ આપે છે. પીએમએ કહ્યું કે સદીઓ પછી ગરીબોને પોતાનું ઠેકાણું મળ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ