:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીના આકરા પ્રહારો: કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાનમાં થઈ રહી છે દુઆ

top-news
  • 02 May, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને તેના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસના શેહજાદા માથા પર બંધારણ રાખીને નાચી રહ્યાં છે. કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાનમાં દુઆ કરવામાં આવી રહી છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના સમયમાં દેશમાં બે બંધારણ ચાલતા હતા. બે ઝંડા હતા. મેં કાશ્મીરમાં ત્રિરંગો લેહરાવીને સરદાર સાહેબના સપનાને પુરા કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઈ ગયું છે. જેના હાથમાં એક સમયે બોમ્બ હતા, તેના હાથમાં આજે ભીખ માંગવાનો કટોરો છે. પીએમએ કહ્યું કે કોંગ્રેસની નબળી સરકાર આતંકના આકાઓને ડોઝિયર આપતી હતી અને મોદીની મજબૂત સરકાર ડોઝિયરમાં ટાઈમ ખરાબ કરતી નથી. આ સરકાર આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ મરી રહી છે અને પાકિસ્તાન રડી રહ્યું છે. તમને એ વાતનો ખ્યાલ હશે કે કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાન માં દુઆ થઈ રહી છે. ભારતમાં પાકિસ્તાનને મજબૂત સરકાર જોઈતી નથી. તેને એવી સરકાર જોઈએ છે, જે તેને ડોઝિયર આપી શકે. 

મોદીએ કહ્યું કે મોદીની મજબૂત સરકાર ઝૂંકતી પણ નથી અને રુકતી પણ નથી. દુનિયાના વિકાસમાં ભારત ગતિ આપી શકે છે. વિશ્વમાં ઝઘડાઓ થાય છે અને તેમાં ભારતને વિશ્વ બંધુ તરીકે ઝઘડાઓનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની ઝલક છે. કોંગ્રેસની સરકાર પહેલા રિમોટ કન્ટ્રોલથી ચાલતી હતી. જ્યારથી મોદી ગરીબોને પૂજવા લાગ્યા, ત્યારથી ગરીબોએ કોંગ્રેસના ચરિત્રને જાણી લીધું અને કોંગ્રેસને છોડી દીધી. મોદી ગરીબોને ઘર આપે છે. માત્ર પાક્કા મકાન જ નહિં તેમના સપનાને નવી ઉડાન પણ આપે છે. પીએમએ કહ્યું કે સદીઓ પછી ગરીબોને પોતાનું ઠેકાણું મળ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎