:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીના આકરા પ્રહારો: કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાનમાં થઈ રહી છે દુઆ

top-news
  • 02 May, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને તેના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસના શેહજાદા માથા પર બંધારણ રાખીને નાચી રહ્યાં છે. કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાનમાં દુઆ કરવામાં આવી રહી છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના સમયમાં દેશમાં બે બંધારણ ચાલતા હતા. બે ઝંડા હતા. મેં કાશ્મીરમાં ત્રિરંગો લેહરાવીને સરદાર સાહેબના સપનાને પુરા કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઈ ગયું છે. જેના હાથમાં એક સમયે બોમ્બ હતા, તેના હાથમાં આજે ભીખ માંગવાનો કટોરો છે. પીએમએ કહ્યું કે કોંગ્રેસની નબળી સરકાર આતંકના આકાઓને ડોઝિયર આપતી હતી અને મોદીની મજબૂત સરકાર ડોઝિયરમાં ટાઈમ ખરાબ કરતી નથી. આ સરકાર આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ મરી રહી છે અને પાકિસ્તાન રડી રહ્યું છે. તમને એ વાતનો ખ્યાલ હશે કે કોંગ્રેસના શેહજાદા માટે પાકિસ્તાન માં દુઆ થઈ રહી છે. ભારતમાં પાકિસ્તાનને મજબૂત સરકાર જોઈતી નથી. તેને એવી સરકાર જોઈએ છે, જે તેને ડોઝિયર આપી શકે. 

મોદીએ કહ્યું કે મોદીની મજબૂત સરકાર ઝૂંકતી પણ નથી અને રુકતી પણ નથી. દુનિયાના વિકાસમાં ભારત ગતિ આપી શકે છે. વિશ્વમાં ઝઘડાઓ થાય છે અને તેમાં ભારતને વિશ્વ બંધુ તરીકે ઝઘડાઓનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની ઝલક છે. કોંગ્રેસની સરકાર પહેલા રિમોટ કન્ટ્રોલથી ચાલતી હતી. જ્યારથી મોદી ગરીબોને પૂજવા લાગ્યા, ત્યારથી ગરીબોએ કોંગ્રેસના ચરિત્રને જાણી લીધું અને કોંગ્રેસને છોડી દીધી. મોદી ગરીબોને ઘર આપે છે. માત્ર પાક્કા મકાન જ નહિં તેમના સપનાને નવી ઉડાન પણ આપે છે. પીએમએ કહ્યું કે સદીઓ પછી ગરીબોને પોતાનું ઠેકાણું મળ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎