રાહુલ અમેઠીના બદલે રાયબરેલીમાં: સ્મૃતિની સામે ટકરાશે કિશોરી લાલ
- 03 May, 2024
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે નામાંકનની છેલ્લી ઘડીએ પોતાના પત્તાઓને ખોલી નાખ્યા છે. પાર્ટીએ રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરી લાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. બંનેના નામોની યાદી આવી ગઈ છે. રાહુલ ગાંધી અત્યાર સુધી અમેઠીથી ચૂંટણી લડતા આવ્યા છે. જોકે આ વખતે પાર્ટીએ તેમની સીટ બદલી છે. જ્યારે કે એલ શર્મા પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં છે.
શર્માને સોનિયા ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેઓ અત્યાર સુધી રાયબરેલીમાં સાંસદ પ્રતિનિધિ તરીકેની જવાબદારી સંભાળતા આવ્યા છે. સાત તબક્કાના આમ ચૂંટણીના પાંચમાં તબક્કામાં 20 મેના રોજ અમેઠી અને રાયબરેલીમાં મતદાન થશે. આ બંને સીટો પરંપરાગત રીતે ગાંધી-નહેરુ પરિવારના સભ્યોની પાસે રહી છે. પ્રથમ વખત પાર્ટીએ અમેઠીથી ગાંધી પરિવારના ન હોય તેવા વ્યક્તિને ઉમેદવાર બનાવ્યો છે.
અમેઠી અને રાયબરેલીમાં નામાંકનની તૈયારીઓ પૂરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ નામાંકન પ્રક્રિયામાં સામેલ થવા માટે રાયબરેલી જઈ રહ્યાં છે. તેઓ 10.30 વાગ્યે રાયબરેલી પહોંચશે. રાહુલ ગાંધી 2019માં અમેઠીની બેઠક પરથી સ્મૃતિ ઈરાનીની સામે 55 હજાર મતોથી પરાજીત થયા હતા, આ વખતે પણ તેઓ અમેઠીને જ પસંદ કરશે તેવું રાજકીય ક્ષેત્રે મનાતુ હતું પરંતુ તેને બદલે રાહુલે ગાંધી પરિવારની પારંપરિક સીટ રાયબરેલી પસંદ કરી છે. તેથી આ વખતે અમેઠીમાં રાહુલ વિરુદ્ધ સ્મૃતિનો રસપ્રદ ચૂંટણી જંગ જોવા નહિં મળે. દરમિયાનમાં અમેઠીના સાંસદ સ્મતિ ઈરાનીએ એવી પ્રતિક્રિયા આપી હોવાનું મનાય છે કે રાહુલ ડરી ગયો છે અને અમેઠી છોડીને રાયબરેલી પસંદ કર્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ