:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રાહુલ અમેઠીના બદલે રાયબરેલીમાં: સ્મૃતિની સામે ટકરાશે કિશોરી લાલ

top-news
  • 03 May, 2024

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે નામાંકનની છેલ્લી ઘડીએ પોતાના પત્તાઓને ખોલી નાખ્યા છે. પાર્ટીએ રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરી લાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. બંનેના નામોની યાદી આવી ગઈ છે. રાહુલ ગાંધી અત્યાર સુધી અમેઠીથી ચૂંટણી લડતા આવ્યા છે. જોકે આ વખતે પાર્ટીએ તેમની સીટ બદલી છે.  જ્યારે કે એલ શર્મા પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં છે. 

શર્માને સોનિયા ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેઓ અત્યાર સુધી રાયબરેલીમાં સાંસદ પ્રતિનિધિ તરીકેની જવાબદારી સંભાળતા આવ્યા છે. સાત તબક્કાના આમ ચૂંટણીના પાંચમાં તબક્કામાં 20 મેના રોજ અમેઠી અને રાયબરેલીમાં મતદાન થશે. આ બંને સીટો પરંપરાગત રીતે ગાંધી-નહેરુ પરિવારના સભ્યોની પાસે રહી છે. પ્રથમ વખત પાર્ટીએ અમેઠીથી ગાંધી પરિવારના ન હોય તેવા વ્યક્તિને ઉમેદવાર બનાવ્યો છે. 

અમેઠી અને રાયબરેલીમાં નામાંકનની તૈયારીઓ પૂરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ નામાંકન પ્રક્રિયામાં સામેલ થવા માટે રાયબરેલી જઈ રહ્યાં છે. તેઓ 10.30 વાગ્યે રાયબરેલી પહોંચશે. રાહુલ ગાંધી 2019માં અમેઠીની બેઠક પરથી સ્મૃતિ ઈરાનીની સામે 55 હજાર મતોથી પરાજીત થયા હતા, આ વખતે પણ તેઓ અમેઠીને જ પસંદ કરશે તેવું રાજકીય ક્ષેત્રે મનાતુ હતું પરંતુ તેને બદલે રાહુલે ગાંધી પરિવારની પારંપરિક સીટ રાયબરેલી પસંદ કરી છે. તેથી આ વખતે અમેઠીમાં રાહુલ વિરુદ્ધ સ્મૃતિનો રસપ્રદ ચૂંટણી જંગ જોવા નહિં મળે. દરમિયાનમાં અમેઠીના સાંસદ સ્મતિ ઈરાનીએ એવી પ્રતિક્રિયા આપી હોવાનું મનાય છે કે રાહુલ ડરી ગયો છે અને અમેઠી છોડીને રાયબરેલી પસંદ કર્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎