:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રાહુલ અમેઠીના બદલે રાયબરેલીમાં: સ્મૃતિની સામે ટકરાશે કિશોરી લાલ

top-news
  • 03 May, 2024

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે નામાંકનની છેલ્લી ઘડીએ પોતાના પત્તાઓને ખોલી નાખ્યા છે. પાર્ટીએ રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરી લાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. બંનેના નામોની યાદી આવી ગઈ છે. રાહુલ ગાંધી અત્યાર સુધી અમેઠીથી ચૂંટણી લડતા આવ્યા છે. જોકે આ વખતે પાર્ટીએ તેમની સીટ બદલી છે.  જ્યારે કે એલ શર્મા પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં છે. 

શર્માને સોનિયા ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેઓ અત્યાર સુધી રાયબરેલીમાં સાંસદ પ્રતિનિધિ તરીકેની જવાબદારી સંભાળતા આવ્યા છે. સાત તબક્કાના આમ ચૂંટણીના પાંચમાં તબક્કામાં 20 મેના રોજ અમેઠી અને રાયબરેલીમાં મતદાન થશે. આ બંને સીટો પરંપરાગત રીતે ગાંધી-નહેરુ પરિવારના સભ્યોની પાસે રહી છે. પ્રથમ વખત પાર્ટીએ અમેઠીથી ગાંધી પરિવારના ન હોય તેવા વ્યક્તિને ઉમેદવાર બનાવ્યો છે. 

અમેઠી અને રાયબરેલીમાં નામાંકનની તૈયારીઓ પૂરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ નામાંકન પ્રક્રિયામાં સામેલ થવા માટે રાયબરેલી જઈ રહ્યાં છે. તેઓ 10.30 વાગ્યે રાયબરેલી પહોંચશે. રાહુલ ગાંધી 2019માં અમેઠીની બેઠક પરથી સ્મૃતિ ઈરાનીની સામે 55 હજાર મતોથી પરાજીત થયા હતા, આ વખતે પણ તેઓ અમેઠીને જ પસંદ કરશે તેવું રાજકીય ક્ષેત્રે મનાતુ હતું પરંતુ તેને બદલે રાહુલે ગાંધી પરિવારની પારંપરિક સીટ રાયબરેલી પસંદ કરી છે. તેથી આ વખતે અમેઠીમાં રાહુલ વિરુદ્ધ સ્મૃતિનો રસપ્રદ ચૂંટણી જંગ જોવા નહિં મળે. દરમિયાનમાં અમેઠીના સાંસદ સ્મતિ ઈરાનીએ એવી પ્રતિક્રિયા આપી હોવાનું મનાય છે કે રાહુલ ડરી ગયો છે અને અમેઠી છોડીને રાયબરેલી પસંદ કર્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎