:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

પાકિસ્તાનમાં બસ ખીણમાં ખાબકી: 20નાં મોત

top-news
  • 03 May, 2024

પાકિસ્તાનમાં એક બસ ખાઈમાં ખાબકતા 20 લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાવલપિંડીથી હુનઝા જઈ રહેલી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગમવતા આ દુર્ઘટના ઘટી હતી. 

ગમખ્વાર અકસ્માત દાઈમર જિલ્લાના કારાકોરમ હાઈવે પર થયો હતો. જોકે બસમાં કેટલા મુસાફરો હાજર હતા, તે અંગેનો કોઈ જ આંકડો હજી મળ્યો નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા 15 જેટલા લોકોને હાલ ચિલાસમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતદેહોને હોસ્પિટલમાં ખસેવામાં આવી રહ્યાં છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.

ઘણા લોકોને ગંભીર ઈજા થવાને કારણે દુર્ઘટનામાં મૃતકોનો આંકડો વધે તેવી શક્યતા છે. ગીલજીત બાલિસ્તાનના મુખ્યમંત્રી હાજી ખાને દુર્ઘટના બાબતે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઘાયલોને તાત્કાલિક મદદ કરવાના પણ આદેશ આપ્યા છે. ગીલજીત-બાલિસ્તાન  સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારુકે જણાવ્યું હતું કે ચીલાસ હોસ્પિટલમાં આ દુર્ઘટના પછી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎