:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પાકિસ્તાનમાં બસ ખીણમાં ખાબકી: 20નાં મોત

top-news
  • 03 May, 2024

પાકિસ્તાનમાં એક બસ ખાઈમાં ખાબકતા 20 લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાવલપિંડીથી હુનઝા જઈ રહેલી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગમવતા આ દુર્ઘટના ઘટી હતી. 

ગમખ્વાર અકસ્માત દાઈમર જિલ્લાના કારાકોરમ હાઈવે પર થયો હતો. જોકે બસમાં કેટલા મુસાફરો હાજર હતા, તે અંગેનો કોઈ જ આંકડો હજી મળ્યો નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા 15 જેટલા લોકોને હાલ ચિલાસમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતદેહોને હોસ્પિટલમાં ખસેવામાં આવી રહ્યાં છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.

ઘણા લોકોને ગંભીર ઈજા થવાને કારણે દુર્ઘટનામાં મૃતકોનો આંકડો વધે તેવી શક્યતા છે. ગીલજીત બાલિસ્તાનના મુખ્યમંત્રી હાજી ખાને દુર્ઘટના બાબતે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઘાયલોને તાત્કાલિક મદદ કરવાના પણ આદેશ આપ્યા છે. ગીલજીત-બાલિસ્તાન  સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારુકે જણાવ્યું હતું કે ચીલાસ હોસ્પિટલમાં આ દુર્ઘટના પછી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎