નૈનીતાલ, બાગેશ્વર તરફ ફેલાઈ રહી છે ઉત્તરાખંડના જંગલોની આગ: વાયુસેનાની માંગવામાં આવી મદદ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06052024_095700_Fire.webp)
- 06 May, 2024
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી વિકરાળ આગ બેકાબુ થતી જઈ રહી છે. તે ગઢવાલ હોય કે પછી કુમાઉં. અહીં ઘણા જંગલો આગના લપેટામાં છે. એક જગ્યા આગ પર નિયંત્રણ કરવામાં આવે કે તરત જ બીજી જગ્યએથી સમાચાર આવે છે કે અહીં જંગલોમાં ભીષણ આગ વધુ વિકરાળ થઈ છે. સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જોકે તે ઘણી જગ્યાઓ પર નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે.
આ દરમિયાન પૌડી જિલ્લાના ડીએમએ જંગલની આગ ઓલવવા માટે વાયુસેના પાસે મદદ માંગી છે અને એક પત્ર લખ્યો છે. ભારતીય વાયુસેનાનું વિમાન પૈડી માટે રવાના થઈ ગયું છે.
સૌથી ભીષણ આગ તે વનક્ષેત્રોમાં લાગી છે, જ્યાં ચીડના ઝાડ વધારે છે. ગરમીની સિઝનના કારણે ઘણા જંગલોમાં લીસા કાઢવામાં આવી રહ્યાં છે અને અહીં આગ સૌથી વધુ ભડકી રહી છે. ઉત્તરાખંડ વન વિભાગના જણાવ્યા મુજબ, કમાઉં મંડલમાં આગ લાગવાના સૌથી વધુ મામલાઓ સામે આવ્યા છે. જ્યારે ગઢવાલ મંડલમાં પણ આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ