:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

સૌરાષ્ટ્રમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા: તલાલા નજીક રિએક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, કોઈ નુકસાન નહીં

top-news
  • 08 May, 2024

ગુજરાતના સૌરષ્ટ્રમાં બુધવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ અંગે જણાવ્યું કે આજે બપોરે 3.18 વાગ્યે સૌરાષ્ટ્રમાં તલાલાથી 12 કિમી ઉતર-ઉતરપૂર્વમાં રિએક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જોકે આ ભૂકંપથી કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી. ભૂકંપના પગલે હાલ લોકોમાં ભયનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2023માં છેલ્લા બે માસથી એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં એક વાર વલસાડમાં, એક વાર રાજકોટમાં અને છ વખત કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતના નૅશનલ સેન્ટર ફૉર સિસ્મૉલૉજીએ 'એક્સ' પર પુષ્ટિ કરી હતી કે 8મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે નવ વાગ્યે, 3.9ની તીવ્રતાનો ધરતીકંપ રાજકોટના ઉત્તરપશ્ચિમમાં 133 કિમી દૂર, 20 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.

કચ્છમાં તેના અસામાન્ય પ્રાકૃતિક સ્થાન અને ભૂગોળને કારણે, દર થોડા મહિને ધરતીકંપના આંચકા અનુભવાય છે. આ ઉપરાંત જાન્યુઆરી, 2001માં આવેલ ભૂંકપે કચ્છમાં સર્જેલી તારાજીનાં દૃશ્યો પણ ઘણાને યાદ હશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎