:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ડન્કી રૂટથી જમૈકા ઘુસેલા ભારતીયોને રવાના કરાયા: નોર્મન મેનલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટડ ફ્લાઈટ્સમાં આવી પહોંચ્યા હતા 253 લોકો

top-news
  • 09 May, 2024

જમૈકાના નોર્મન મેનલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટડ ફ્લાઈટ્સથી 6 મેના રોજ 253 જેટલા ભારતીય ગેરકાયદેસર રીતે આવી પહોંચ્યા હતા. આ તમામને આજે ભારત મોકલી દેવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ટેલિકોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી ડાર્લી વાઝે આપી છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટ 6 મેના રોજ જ પરત ભારત  આવવાની હતી, જોકે ફ્લાઈટ પ્લાનના પગલે તેને પરત આવવામાં વિલંબ થયો હતો. 

વાઝે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે ચાર્ટડ ફ્લાઈટ યુએસસી જીએમબીએચમાં જ ભારતના 253 પેસેન્જર્સને પરત મોકલી દેવામાં આવ્યા છે. સવારે 11.46 કલાકે પ્લેને અહીંથી ઉડાન ભરી હતી. ભારત પરત ફરવાનો તમામ ખર્ચ પેસેન્જર્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

ચાર્ટડ ફ્લાઈટમાં દર્શાવવામાં આવેલા 2 પેસેન્જર્સ એરપોર્ટ ઈમિગ્રેશન અધિકારી સમક્ષ હાજર થયા ત્યારે તેમની પાસેની ટ્રાવેલ ડિટેલ્સ મિસિંગ હતી. એમ કહેવાય છે કે આ તમામ પ્રવાસીઓ ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે રવાના થયા હતા. નોંધનીય છે કે અગાઉ આવું જ એક વિમાન ફ્રાન્સમાં ઈંધણ માટે ઉતર્યું ત્યારે તેઓ બધા ડન્કી રૂટવાળા માલુમ પડતા વિમાન અટકાવી દેવાયું હતુ અને જેતે દેશની એમ્બેસીને વિમાનમાં રહેલા મુસાફરોની માહિતી આપી હતી. ફ્રાન્સમાં એક નવજાત બાળક પણ હતું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎