:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

કેજરીવાલની અરજીની સુનાવણી પહેલા ઈડીનું સોગાંદનામું: સુપ્રીમ કોર્ટ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર શુક્રવારે ચુકાદો આપશે

top-news
  • 09 May, 2024

સુપ્રીમ કોર્ટમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી સામે એક સોગાંદનામું દાખલ કર્યું છે. જોકે દિલ્હી લીકર પોલીસી કૌભાંડને લગતા મની લોન્ડ્રિંગ કેસમાં કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી શુક્રવારે હાથ ધરાશે. દિલ્હીમાં દારૂ નીતિના કથિત કૌભાંડમાં ઈડીની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહેલી બેંચની અધ્યક્ષતા કરનારા જસ્ટીસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે વચગાળાના જામીન મુદ્દે અમે શુક્રવારે ચુકાદો આપીશું. ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર પણ આ જ દિવસે નિર્ણય કરાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટમાં કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવામાં આવે તે પહેલા જ ગુરુવારે ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર ભાનુ પ્રિયાએ કોર્ટમાં સોગાંદનામુ દાખલ કર્યું હતું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલને જો ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને વચગાળાના જામીન આપવામાં આવે તો, અન્ય બેઈમાન રાજકીય નેતાઓ પણ ગુના કરવા તેમજ ચૂંટણીના બહાને તપાસમાંથી બચવાનો પ્રયત્ન કરશે. તેનાથી એક ખોટો સંદેશ પણ જશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎