:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સ્મૃતિના પ્રહાર સામે કોંગ્રેસનો વળતો પ્રહાર જયરામ : 'ઓનલાઈન સટ્ટાબાજીની એપ ગેરકાયદેસર નથી, 28 ટકા GST લેવાઈ છે

top-news
  • 04 Nov, 2023

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી બીજેપી હેડક્વાટર્સમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મની લોન્ડરિંગના એક મામલે શુભમ સોનીએ પોતાના લેખિત નિવેદનમાં કહ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે  ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ આપી છે. છત્તીસગઢમાં ચૂંટણી પહેલા મહાદેવ એપને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શનિવારે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જવાબમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આ EDનો સ્પષ્ટ દુરુપયોગ છે. આ બદલાની રાજનીતિ છે. કોંગ્રેસે કહ્યું કે ઓનલાઈન સટ્ટાબાજીની એપને કેન્દ્ર દ્વારા કાનૂની માન્યતા આપવામાં આવી છે. આ જ કારણ છે કે આ એપ્સ પરથી 28 ટકા GST વસૂલવામાં આવે છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભૂપેશ બઘેલ સત્તામાં રહીને સટ્ટાનો મોટો ખેલ કરી રહ્યા છે. ગઈ કાલે મુખ્યમંત્રી અંગે ઘણા મોટા ખુલાસા થયા. સીમા દાસ નામના એક વ્યક્તિ પાસેથી 5.30 કરોડ રૂપિયા મળી આવ્યા છે. હું આજે કેટલાક સવાલ પૂછવા માંગુ છું. શું એ સત્ય છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓને શુભમ સોનીના માધ્યમથી અસીમ દાસ પૈસા પહોંચાડતો હતો. 

શું એ સત્ય છે કે, શુભમ સોનીએ એક વોઈસ મેસેજના માધ્યમથી એ આદેશ આપ્યો કે, તેઓ રાયપુર જઈને બઘેલને ચૂંટણી ખર્ચ માટે પૈસા આપે? શું એ સત્ય છે કે, 2 નવેમ્બરના રોજ હોટેલ ટ્રાઈડેન્ટમાં કોટા દાસ પરથી પૈસા મળી આવ્યા. શું એ સત્ય છે કે, રેફ્રિજરેટર હેઠળ અલગ-અલગ બેંક ખાતામાંથી 15.50 કરોડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. 

બીજેપી નેતાએ સીએમ ભૂપેશ બઘેલ પર આરોપ લગાવતા કહ્યું છે કે, આ તથ્યો ચોંકાવનારા છે કે જે શુભમ સોની વિશે અસીમ દાસે નિવેદન આપ્યુ છે તેના વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે, તપાસ એજન્સી પાસે શુભમ સોનીના અવાજમાં પણ પુરાવા ઉપલબ્ધ છે. એક લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 538 કરોડ રૂપિયાની લાંચ આપી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎