:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ચીનમાં કોરોના વાયરસની જેમ નવી બિમારીથી તબાહીઃ ભારત સરકાર હરકતમાં રાજયોને હેલ્થ એડવાઈઝરી પાઠવી

top-news
  • 27 Nov, 2023

ચીનમાંથી ઉદભવતી બીમારીઓના કારણે દુનિયા બીજી વખત ચિંતામાં મૂકાઈ છે. ચીનમાંથી ફેલાયેલા કોરોના અથવા કોવિડે કરોડો લોકોનો જીવ લીધા પછી હવે અહીં ન્યુમોનિયા જેવી એક રહસ્યમય બીમારી ફેલાઈ છે. પરિણામે ભારત સરકારે પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક હેલ્થ એડવાઈઝરી ઈશ્યૂ કરવી પડી છે.

આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને પોતાની તૈયારી અને સુવિધાઓની સમીક્ષા કરવા જણાવ્યું છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને જે રીતે સર્વેલન્સ સ્ટ્રેટેજી બની હતી તેવી જ રીતે ચીનની આ નવી બીમારી અંગે પણ ઓપરેશનલ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે ઈનફ્લુએન્ઝા જેવી બીમારી અને શ્વસનતંત્રના ચેપ જઅછઈં અંગે તમામ રાજ્યોએ પોતાની તૈયારીની સમીક્ષા કરવાની રહેશે. તેમાં જણાવાયું છે કે ઈનફ્લુએન્ઝા, માઈકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને સાર્સ-ઈજ્ઞટ2 વાઈરસની હાજરી ચકાસવાની રહેશે. જોકે, આરોગ્ય મંત્રાલયે લોકોને જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને હાલમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

દરમિયાન ચીનમાં ધીમે ધીમે ગભરાટ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે સ્થાનિક સત્તાવાળાઓને ક્લિનિકની સંખ્યા વધારવા અને ત્યાં તાવના દર્દીઓની તાત્કાલિક સારવાર કરાવ માટે જણાવ્યું છે. કોવિડ-19ના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા ત્યાર પછી ચીનમાં આ પહેલો શિયાળો છે જેમાં ખાસ કાળજી રાખવી પડશે.

ગયા અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંસ્થા હૂએ પણ ચીનના રોગચાળાની ગંભીર નોંધ લીધી હતી અને ચીનને જણાવ્યું હતું કે રોગચાળા વિશે માહિતી છુપાવવાના બદલે માહિતી બહાર પાડે જેથી તેનો સામનો કરી શકાય. ચીનના કેટલાક વિસ્તારમાં બાળકોમાં ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળ્યા છે પરંતુ તેનું સચોટ નિદાન થઈ શક્યું નથી.

ચીનમાં અત્યારે શરદી, તાવ અને ન્યુમોનિયાના લક્ષણો ધરાવતા બાળકોથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. પેશન્ટની સંખ્યા એટલી મોટી છે કે દવાખાનામાં બાળકોના માતાપિતાએ કલાકો સુધી રાહ જોવી પડે છે. અમેરિકન ડિસિઝ કન્ટ્રોલ સેન્ટરે પણ જણાવ્યું કે તેમને ત્યાં આઉટપેશન્ટ વિઝિટ અને હોસ્પિટલમાં દાખલ થતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. જોકે, આ રોગ ક્ધટ્રોલમાં આવી જાય છે અને તેના કોઈ નવા જંતુ નથી. ચીને મેડિકલ સપ્લાય અને ટ્રીટમેન્ટ માટે મોટા પાયે કામગીરી શરૂ કરી દીધી છે.